સાવધાન: આવી પહોચ્યું વાવાઝોડું ગુજરાતથી છે આટલું જ દુર

  • June 14, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપોરજોય 15 જૂન એટલે કે આવતી કાલે કચ્છમાંથી પસાર થઇ શકે છે. કચ્છ-પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી પણ શક્યતા છે. આજે અને આવતીકાલે ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી શકે છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ સૌરાષ્ટ્ર અને કચ્છનો દરિયાકાંઠો તોફાની બની શકે છે.


5 જૂન 2023ના રોજ બપોરે અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યૂલેશન એટલેકે ચક્રવાતી પરિપ્રભણ સર્જાયું હતું. જે 6 જૂને ડીપ ડિપ્રેશન અને સાંજ સાઇક્લોનિક સ્ટોર્મમાં ફેરવાઇ ગયું હતું. 7 જૂને વાવાઝોડું  સેવર સાઇક્લોનિક અને બાદમાં વેરી સેવર સાઇક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થયું હતું. પહેલા ઓમન તરફ જતું આ વાવાઝોડું ધીમે ધીમે કરાચી અને હવે ગુજરાત તરફ ફંટાયું છે. વાવાઝોડું સતત તેની દિશા બદલી રહ્યું છે. જોકે ગુજરાત પર ત્રાટકવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.


10-11 જૂનના રોજ આ વાવાઝોડું મહા વિનાશક વાવાઝોડામાં પરિવર્તિત થયું હતું અને 12 જૂને ફરી ભારે વિનાશક વાવાઝોડામાં ફેરવાયું હતું. 13 જૂને ક્યારેક ઝડપી તો ક્યારેક ધીમી ચાલે આગળ વધ્યું હતું. જોકે વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application