રાજકોટ જિલ્લાના ૬ નગરપાલિકા વિસ્તારમાં ઢોરને તા. ૭ માર્ચ સુધીમાં ટેગ લગાડવા આદેશ

  • February 01, 2024 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ કાબુમાં લેવા માટે ફરજિયાત રીતે નોંધણી કરાવી પડશે.

રખડતા ભટકતા હરાયા ઢોરને ટેગ લગાડવા માટેની સૂચના અધિક જિલ્લા કલેકટર ચેતનભાઇ ગાંધીએ નગરપાલિકાઓના ચીફ ઓફિસરોને પાઠવી છે.

રાજકોટ જિલ્લાના અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ આ સંદર્ભે રાજકોટ જિલ્લાના જેતપુર ગોંડલ જસદણ ધોરાજી ઉપલેટા અને ભાયાવદર નગરપાલિકા ના ચીફ ઓફિસરોને તારીખ ૭ માર્ચ સુધીમાં આ તમામ કામગીરી પૂરી કરવાનું આદેશ કર્યેા છે.

રખડતા ઢોરના મામલે હાઇકોર્ટ દ્રારા પણ સરકારને સૂચનાઓ આપવામાં આવી છે અને તે મુજબ કામગીરી થઈ રહી છે.
જાહેરમાં ઘાસચારો નહીં નાખવા, રસ્તા, ફટપાથ અને જાહેર સ્થળોએ ઘાસનું વેચાણ નહીં કરવા માટે અધિક કલેકટર ચેતનભાઇ ગાંધીએ જાહેરનામું પણ પ્રસિદ્ધ કયુ છે અને જણાવ્યું છે કે રખડતા ઢોરની નોંધણી કરીને તેમને ટેગ લગાવવાની પ્રક્રિયા ૭ માર્ચ સુધીમાં પૂરી કરવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application