કોર્ટેા સમક્ષ કોઇ પણ પ્રકારની ફાઇલિંગમાં પક્ષકારોની જાતિ કે ધર્મનો ઉલ્લેખ નહીં કરી શકાય, સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યકત કરતા દેશની દરેક હાઇકોર્ટેાને આદેશ આપ્યો છે કે કેસના મેમાં જાતિ કે ધર્મનો ઉલ્લેખ કરવામાં ના આવે. ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ સમક્ષ એક કેસમાં પક્ષકારોની જાતિનો ઉલ્લેખ સામે આવ્યો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતું કે કોર્ટમાં પક્ષકારની જાતિ કે ધર્મને જાહેર કરવાની પરંપરા બધં થવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ તેમજ દેશની કોઇ પણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને ઉજાગર કરવો જોઇએ તે અમને યોગ્ય નથી લાગતું. અને તેથી આ પરંપરાને બધં કરવા માટે અમે આદેશ જારી કરી રહ્યા છીએ. રાજસ્થાનની એક ફેમેલી કોર્ટમાં પેન્ડિંગ કેસને ટ્રાન્સફર કરવાની માગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ હતી, જેના મેમોમાં અરજદારની જાતિ અને ધર્મનો ઉલ્લેખ હતો જેને કારણે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેસ ટ્રાન્સફરની અનુમતી આપી દીધી પણ સાથે હવેથી કોઇ પણ કોર્ટમાં વાદીએ પોતાની જાતિ કે ધર્મને જાહેર કરવાની જર નહીં રહે તેવો આદેશ દેશની દરેક હાઇકોર્ટેાને આપ્યો છે.
યારે રાજસ્થાનના આ કેસની દલીલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી હતી ત્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના દસ્તાવેજોમાં અરજદારોની જાતિનો ઉલ્લેખ કરવો એટલા માટે જરી થઇ ગયો હતો કેમ કે ફેમેલી કોર્ટના દસ્તાવેજોમાં પણ તેનો ઉલ્લેખ હતો. જે મહિલાએ પેપરમાં જાતિનો ઉલ્લેખ ના કર્યેા હોત તો કોર્ટ રજિસ્ટ્રી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હોત. જે બાદ સુપ્રીમ કોર્ટે તેની નોંધ લીધી અને સમગ્ર દેશની કોર્ટેા માટે અલગ આદેશ જાહેર કરતા કહ્યું કે કોઇ પણ વાદીની જાતિ કે ધર્મની જાણકારી ના આપવી જોઇએ. નીચલી કોર્ટમાં આવો ઉલ્લેખ કર્યેા હોય તો પણ ઉપરી કોર્ટેામાં તેનો ઉલ્લેખ કરવાની જર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech