વાંકાનેર સોસાયટીમાં કાર પર પથ્થરમારો કરી કાચ ફોડી નાખ્યા

  • April 30, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીમાં રહેતા યુવાનના માસીયાઇ ભાઇની કાર પર બજરંગવાડી પાસેના રાજીવનગરમાં રહેતા શખસે પથ્થરમારો કરી કાચ ફોડી નાંખ્યા હતાં.યુવાન અને તેના પરિવાર સાથે આરોપીને જૂની અદાવત હોય તે સબબ આ હુમલો કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

જામનગર રોડ પર આવેલી વાંકાનેર સોસાયટીમાં 3/4 નો ખુણે સમ્સ સ્કુલવાળી શેરી કરમ મકાનમાં રહેતા કોનેન યાકુબભાઇ મોટાણી(ઉ.વ.19) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે બજરંગવાડી રાજીવનગરના ઈમામ ચોકમાં રહેતા અહેમદ ખમીશાભાઈ જુણાચનું નામ આપ્યું હતું.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું રૈયા ચોકડી ખાતે આવેલી બ્રિટાનીયા એજન્સીમાં નોકરી કરૂ છું. મારા પિતા ડ્રાઇવીંગ કરે છે.દરરોજની જેમ હું મારી નોકરી પુરી કરી ઘરે આવ્યો હતો. ત્યારે સાંજના માસીનો દિકરો અમન રીઝવાનભાઈ જુણેજા તેની પાસેની એક કીયા સેલટોસ કાળા કલરવાળી કાર જે અમનના કાકા વાહીદભાઇ ઇબ્રાહીમભાઇ સોરાની માલિકીની હોય તે ગાડી મારા ઘરની બહાર લઇ આવ્યો હતો.



મને બહાર બોલાવી જણાવેલ કે હું એચસીજી હોસ્પિટલ પાસે આ ગાડી ચલાવતો હતો ત્યારે એહમદ ખમીશાભાઈ જુણાચ(રહે.ઇમામ ચોક રાજીવનગર બજરંગ વાડી રાજકોટ)એ પથ્થરનો છુટો ઘા કરી અને ગાડીના પાછળના કાચમાં લાગતા કાચ તુટી ગયો હતો.બાદમાં હુ ઘર પાસે આવેલ આ વાત મને અમને કહેલ તે દરમિયાન આ એહમદ મારા ઘર પાસે આવેલ અને જાહેરમાં ગાળો આપવા લાગ્યો હતો.આ એહમદને અમારી સાથે જુની અદાવત હોવાથી અમારી ગાડીનો કાચ તોડેલ અને ગાળો આપેલ જેથી મેં મારા સાગા મોટા બાપુના દિકરા અલ્ફાઝ અબ્દુલભાઇ મોટાણીને બોલાવતા અલ્ફાઝ મારા ઘર પાસે આવી ગયો હતો.તેમણે 100 નંબર ઉપર ફોન કર્યો હતો.જેથી એહમદ ત્યાંથી ભાગી ગયો હતો.બાદમાં યુવાને આ અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.બનાવની વધુ તપાસ એએસઆઈ જે.કે.જાડેજા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application