કેપ્ટન કૂલ આ ખેલાડીને માને છે ક્રિકેટના સૌથી ખતરનાક બોલર

  • March 17, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કારકિર્દીમાં ઘણા મોટા બોલરોના છક્કા છોડાવ્યા છે. માહીની ગણતરી ક્રિકેટ ઇતિહાસના શ્રેષ્ઠ ફિનિશરોમાં થાય છે પરંતુ એવો કયો બોલર છે જેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનને સૌથી વધુ મુશ્કેલીમાં મૂક્યો? એવો પણ કોઈ ખેલાડી છે જેને ધોની સૌથી ખતરનાક બોલર માને છે?


હમણાં એક કાર્યક્રમ દરમિયાન ધોનીએ આ વાત કરી હતી. જેમાં તેણે એ પણ જણાવ્યું કે તેમને કયા બોલર સામે બેટિંગ કરવી સૌથી મુશ્કેલ લાગી?  આ પ્રશ્નના જવાબમાં માહીએ બે બોલરોના નામ આપ્યા.


માહીએ વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણના નામ લીધા


માહીએ વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને સૌથી ખતરનાક બોલર ગણાવ્યા. માહીના મતે, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ સામે બેટિંગ કરવી ખૂબ જ મુશ્કેલ છે. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણ IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. અત્યાર સુધીમાં સુનીલ નારાયણે પોતાના IPL કરિયરની 176 મેચોમાં 180 વિકેટ લીધી છે. સુનીલ નારાયણને સર્વકાલીન મહાન સ્પિનરની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. તે જ સમયે, વરુણ ચક્રવર્તીએ 71 IPL મેચોમાં 83 બેટ્સમેનોને આઉટ કર્યા છે.


આવી રહી છે વરુણ ચક્રવર્તીની કારકિર્દી


ત્યારે વરુણ ચક્રવર્તીએ પણ હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારત તરફથી વરુણ ચક્રવર્તીએ સૌથી વધુ વિકેટ લીધી. અત્યાર સુધીમાં વરુણ ચક્રવર્તીએ 4 વનડે ઉપરાંત 18 T20 મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું છે. ભારત માટે ODI મેચોમાં, વરુણ ચક્રવર્તીએ 4.75 ની ઇકોનોમી અને 19.00 ની સરેરાશથી 10 વિકેટ લીધી છે. તે જ સમયે, ભારત માટે આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં, વરુણ ચક્રવર્તીએ 7.02 ની ઇકોનોમી અને 14.6 ની સરેરાશથી 33 બેટ્સમેનોને આઉટ કર્યા છે. આ ઉપરાંત, તેણે 71 IPL મેચોમાં 83 વિકેટ લીધી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application