પેરિસ ઓલિમ્પિક્સ 2024 આજથી એટલે કે 26મી જુલાઈથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે ઓલિમ્પિકમાં વિશ્વભરમાંથી 10,500 ખેલાડીઓ ભાગ લેશે. ભારતના કુલ 117 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લેવાના છે. આ ખેલાડીઓમાં 72 ખેલાડીઓ પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેના પર સમગ્ર દેશની નજર છે. આ ઉપરાંત દેશને આ ખેલાડીઓ પાસેથી મેડલની પણ અપેક્ષા છે. ઓલિમ્પિક દરમિયાન ખેલાડીઓએ ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે શું ખેલાડીઓ ઓલિમ્પિક દરમિયાન દારૂ પી શકે છે? જાણો તેનો જવાબ.
શું ખેલાડીઓ ઓલિમ્પિક દરમિયાન દારૂ પી શકે છે?
જવાબ છે ના. ઓલિમ્પિક રમતોમાં દારૂ અને સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઈ ખેલાડી રમત દરમિયાન દારૂ પીતા અથવા સિગારેટ પીતા પકડાય છે, તો તેને રમતમાંથી બહાર કરવામાં આવે છે. આ સિવાય જો કોઈપણ ખેલાડી ઓલિમ્પિક ગેમ્સ પહેલા પ્રેક્ટિસ કરતી વખતે આલ્કોહોલ પીતો કે સિગારેટ પીતો જોવા મળે છે અને તે અંગેના નક્કર પુરાવા છે તો તે ખેલાડીને બહાર કાઢવામાં આવે છે.
જાપાનના આ ખેલાડીએ પાછું ખેંચવું પડ્યું નામ
પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆત પહેલા જ એક ખેલાડીએ ધૂમ્રપાન કરવા બદલ પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું હતું. જાપાનની મહિલા આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ ટીમની 19 વર્ષની કેપ્ટન શોકો મિયાતાએ ઓલિમ્પિકમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ અંગે જાપાનીઝ જિમ્નેસ્ટિક એસોસિએશન (JGA)નું નિવેદન પણ સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે કે મિયાતાએ ધૂમ્રપાન કરીને ટીમની આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે, ત્યારબાદ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. આ અંગે જેજીએના અધિકારીઓનું કહેવું છે કે મોનાકોમાં ટીમના ટ્રેનિંગ કેમ્પમાંથી નીકળીને તે જાપાન પહોંચી હતી, જેમાં તેના દારૂ પીવાની પુષ્ટિ થઈ હતી. જેજીએએ કહ્યું છે કે હવે પાંચને બદલે માત્ર ચાર એથ્લેટ જ સ્પર્ધા કરશે.
આટલું જ નહીં, જેજીએના પ્રમુખ તદાશી ફુજીતા અને તેમના અંગત કોચ મુત્સુમી હરાડા અને અન્ય અધિકારીઓએ ખેલાડી મિયાતાના આ પગલા માટે ચાહકોની માફી માંગી છે. તેમણે કહ્યું કે અમે આ માટે દિલથી માફી માંગીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech