રાજકોટ સિવિલ ખાતે આવતીકાલે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષકોને તબીબી તજજ્ઞો દ્વારા અપાશે CPRની તાલીમ

  • December 02, 2023 10:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ નાની ઉમરે હૃદય રોગના હુમલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ રાજ્ય સરકાર ચિંતીત છે. વિદ્યાર્થીઓને આવા કિસ્સામાં ઇમર્જન્સીમાં મેડિકલ સહાય મળે તે પૂર્વે મદદરૂપ બની તેઓનું અમૂલ્ય જીવન બચાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને પણ CPR ની તાલીમ આપવાનું જાહેર કરાયું છે.


જેના અનુસંધાને આગામી તા. 3 ડિસેમ્બરના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષકો માટે સી.પી. આર. ની તાલીમનું આયોજન હાથ ધરાયુ છે. અહીંના કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલની પાછળ આવેલા ઓડિટોરીયમ ખાતે સવારે ૦૯:૦૦ વાગ્યે તબીબી તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે તેમ સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે.


રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે રાજ્યમાં 2 લાખ શિક્ષકોને CRP તાલીમ આપવામાં આવશે. સમગ્ર મામલે શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જણાવ્યું કે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ ખુબ જ વધી રહ્યાં છે. જેના કારણે મૃત્ય દરમાં વધારો થયો છે. ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષણ મંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. શિક્ષણમંત્રી ડો. કુબેર ડિંડોરે કહ્યું કે અત્યારે પોલીસને CRP ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. ત્યારે 2 લાખ શિક્ષકોને CRP ટ્રેનિંગ હવે આપવામાં આવશે.. 3 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના CRP ટ્રેનિંગ યોજવામાં આવશે.. રાજ્યની 17 મેડિકલ કોલેજમાં CRP ટ્રેનિંગ આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application