ખંભાળિયાના શિક્ષકોને નિષ્ણાંત તબીબો દ્વારા સીપીઆર ટ્રેનિંગ

  • January 03, 2024 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર્ટ એટેક સમયે કરવાની થતી કામગીરી અંગે સમજણ અપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાની તમામ શાળાના શિક્ષકો માટે સી.પી.આર. ટ્રેનિંગનું આયોજન અહીંની એસ.એન.ડી.ટી. હાઈસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડો. અમિત નકુમ, ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા એનેસ્થેસિયાના વર્ગ -૧ સૈયદભાઈ, સાથે મેડિકલ સ્ટાફ, બી.આર.સી. કો-ઓર્ડીનેટર પી.એસ. રાણા, કેળવણી નિરીક્ષક, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા ઉપાધ્યક્ષ સપનાબેન કાનાણી અને ૧૨૦૦ જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા.
આ તમામને મેડીકલ ટીમ દ્વારા કોઈપણ વ્યક્તિને હૃદયરોગની તકલીફ થાય ત્યારે કઈ રીતે વર્તવું તે અંગે સુવ્યવસ્થિત રીતે સી.પી.આર. ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application