CM કેજરીવાલે આવતીકાલે કરવું જ પડશે આત્મ સમર્પણ,કોર્ટે ન આપી રાહત

  • June 01, 2024 05:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી નથી. તેણે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલના વચગાળાના જામીન પર સુનાવણીમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે 5 જૂને પોતાનો ચુકાદો સંભળાવવાનું નક્કી કર્યું છે. ત્યારે કેજરીવાલે આવતીકાલે આત્મસમર્પણ કરવું પડશે.

કેજરીવાલના વકીલે તેના જામીનમાં એક અઠવાડિયાની મુદત લંબાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જેમાં EDએ કોર્ટમાં કેજરીવાલના વચગાળાના જામીનનો વિરોધ કર્યો હતો. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એન હરિહરને કહ્યું કે તેઓ માત્ર સાત દિવસની વચગાળાની રાહત માંગી રહ્યા છે, જેમાં તેમના સ્વાસ્થ્યની જરૂરી તપાસ કરવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application