ગઈકાલે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટમાં એનજેએમનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ’એઆઇ વકીલ’ સાથે વાતચીત કરી. તેમણે કથિત રીતે એઆઈ વકીલને પ્રશ્ન પૂછ્યો કે શું ભારતમાં મૃત્યુદંડ બંધારણીય છે? જવાબમાં એઆઈ વકીલે ડીવાય ચંદ્રચુડને કહ્યું કે ભારતમાં મૃત્યુદંડની જોગવાઈ છે. મૃત્યુદંડ અહીં બંધારણીય છે, પરંતુ તે ફક્ત દુર્લભ કિસ્સાઓમાં જ આપવામાં આવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજાને દુર્લભ મામલાની શ્રેણીમાં આપવાની વ્ય્વસ્ત્ય્હા કરાઈ હતી. એઆઇ વકીલના જવાબથી સીજેઆઈ ખુશ દેખાતા હતા. આ ઉદ્ઘાટન સમારોહમાં ઘણા જજ હાજર રહ્યા હતા. સીજેઆઈ નો કાર્યકાળ 10મી નવેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે અને તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે.
ડીવાય ચંદ્રચુડે જણાવ્યું હતું કે સંગ્રહાલય બનાવવાની યોજનામાં લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. વાસ્તવિક અમલીકરણમાં લગભગ છ મહિનાનો સમય લાગ્યો હતો. તેમણે કહ્યું કે અમે વિચાર્યું કે આપણી પાસે માત્ર કલાકૃતિઓનું મ્યુઝિયમ ન હોવું જોઈએ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરનું શ્રેષ્ઠ મ્યુઝિયમ હોવું જોઈએ, જેથી કરીને આપણા નાગરિકોને ન્યાય આપવા અને નાગરિકોના મૂળભૂત અધિકારોની સુરક્ષામાં આપણી સંસ્થા અને હાઈકોર્ટના મહત્વ પર ભાર મૂકવામાં આવે. આપણા નાગરિકો પ્રતિબિંબિત કરવા માટે સક્ષમ થવા માટે આ આપણા રાષ્ટ્રના જીવનમાં કોર્ટના મહત્વના સિદ્ધાંતને પ્રતિબિંબિત કરે છે. તેથી અહીં હાજર રહેલા મારા તમામ સાથીદારો વતી, હું આ મ્યુઝિયમને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આનંદ અનુભવું છું જેથી કરીને આ મ્યુઝિયમ યુવા પેઢી માટે ઇન્ટરેક્ટિવ સ્પેસ બની શકે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો હતો. બાર દ્વારા સીજેઆઈને પત્ર લખીને જજ માટેના પુસ્તકાલયને સાર્વજનિક સંગ્રહાલયમાં ફેરવવા બદલ લેવાયેલા નિર્ણય પર વાંધો ઉઠાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજની પોરબંદર-મુઝફ્ફરપુર ટ્રેનનું યુપી બિહારમાં રૂટ પરિવર્તન
April 25, 2025 10:25 AMસમાજમાં બદનામીના ડરથી આરંભડાના યુવાને ટ્રેન હેઠળ પડતું મૂક્યું
April 25, 2025 10:23 AMમોરબીમાં કારખાનાની ગરમ પાણીના નિકાલની ગટરમાં પડી જતા બાળકીનું મોત
April 25, 2025 10:22 AMગોમટા પાસે ફાર્મ હાઉસમાં ચાલતા જુગારધામ પર દરોડો: ૧૦ ઝડપાયા
April 25, 2025 10:20 AMઓન-લાઇન ગેમ વડે જુગાર રમવા લોકોને પ્રેરતા કલ્યાણપુરના સોશિયલ મીડિયા પ્રમોટરો સામે ગુનો
April 25, 2025 10:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech