કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
વર્તમાન સમયમાં યુવા વર્ગમાં સ્ટ્રેસ, વર્ક લોડ, ફાસ્ટ ફૂડ અને જીમમાં અયોગ્ય કસરતોના કારણે હ્ર્દયરોગ અને હાર્ટ એટેકનું જોખમ વધી ગયું છે. ત્યારે ઈમરજન્સીના સમયે દર્દીનો જીવ બચાવવા માટે સી. પી. આર. પ્રક્રિયા ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જે અંતર્ગત, જામનગરની જી. જી. હોસ્પિટલમાં રાજ્ય સરકાર, ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેશિયોલોજી અને એનેસ્થેશિયા વિભાગના સહયોગથી નાગરિકોના હિતાર્થે સી.પી.આર. ટ્રેઈનિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોઈપણ દર્દીને સી. પી. આર. આપતા પૂર્વે તેની તાલીમ લેવી ખુબ જ આવશ્યક છે. નહીંતર દર્દીની પરિસ્થિતિ વધુ બગડી શકે છે. સી. પી. આર. આપ્યા બાદ દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં રીફર કરાવવો જરૂરી છે.
**
સી. પી. આર. પ્રક્રિયા શું છે ??
’કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન’ જે સી. પી. આર. તરીકેના ટૂંકા નામથી ઓળખાય છે. આ પ્રક્રિયા વ્યક્તિના મગજ અને અવયવોમાં ઓક્સિજનયુક્ત રક્તના પ્રવાહને પુન: સ્થાપિત કરવા માટે ઉપયોગી છે. કોઈ સંજોગોમાં જયારે વ્યક્તિ અચાનક કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હ્ર્દય રોગના હુમલાનો ભોગ બને છે. ત્યારે જો મગજમાં ઓક્સિજનયુક્ત રક્તનો પ્રવાહ થોડીવારમાં પુન: સ્થાપિત કરવામાં ન આવે તો દર્દીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ શકે છે, અથવા તો મગજમાં કાયમી ધોરણે નુકસાન થઈ શકે છે.
સી. પી. આર. એવા દર્દીઓને આપવામાં આવે છે, કે જેઓ તાકીદની સારવાર સમયે પ્રતિભાવ આપી શકતા નથી. જેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને તેમના ધબકારા અનિયમિત રીતે ચાલતા હોય. આવા દર્દીઓને તરત જ સી. પી. આર. આપવું જોઈએ. સી. પી. આર. પ્રક્રિયા તાલીમ પામેલા વ્યક્તિઓ દ્વારા જ કરાય તે હિતાવહ છે, નહીંતર દર્દીની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
ઉપરોક્ત કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય રીવાબા જાડેજા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર બીનાબેન કોઠારી, જી. જી. હોસ્પિટલ ડીન શ્રી ડો. એસ. એસ. ચેટરજી, તબીબી અધિક્ષક ડો. દિપક એસ. તિવારી, એનેસ્થેશિયા વિભાગના વડા ડો. વંદનાબેન ત્રિવેદી, જી. જી. હોસ્પિટલ એનેસ્થેશિયા ટીમ, એમ.પી. શાહ મેડિકલ કોલેજ, જી. જી. હોસ્પિટલના વિદ્યાર્થીઓ તેમજ અન્ય સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech