સવારે ખાલી પેટે આ પ્રવાહી પીવાથી વાયરલ ફીવર અને ઈન્ફેક્શનથી મેળવી શકશો છુટકારો

  • August 13, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોરાકમાં વપરાતી હળદર સ્વાસ્થ્ય માટેનો ખજાનો છે. આયુર્વેદમાં હળદરનો ભરપૂર ઉપયોગ થાય છે. હળદરમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે શરીરને ચેપી રોગથી બચાવે છે. હળદરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સિવાય પેટ સંબંધિત ઘણી બીમારીઓમાં હળદર અસરકારક રીતે કામ કરે છે. 

હળદર દરેકના ઘરમાં સરળતાથી મળી રહે છે. આ માટે દરરોજ સવારે 1 ગ્લાસ હળદર વાળું પાણી પીવું જોઈએ. ખાલી પેટે એક ચપટી હળદરનું સેવન કરવાથી પણ  વાઈરલ ઈન્ફેક્શન અને અન્ય ઈન્ફેક્શનનું જોખમ ઓછું થઈ જાય છે. ખાસ વાત એ છે કે હળદરનું પાણી પીવાથી પણ સ્થૂળતા ઓછી થાય છે.

હળદરનું પાણી કેવી રીતે બનાવશો?

તેના માટે સવારે એક ગ્લાસ પાણીમાં એક ચપટી હળદરનો પાવડર મિક્સ કરો. આ પાણીને આખી રાત પલાળીને પણ રાખી શકો છો. સવારે આ પાણીને થોડું ગરમ કરો અને ખાલી પેટ હળદર સાથે હૂંફાળું પાણી પીવો. હળદરનું પાણી પીધા પછી અડધા કલાક સુધી કંઈપણ ન પીવું. આ પાણીને મોંમાં ચારે બાજુ ફેરવીને પીવો.

ખાલી પેટ હળદરનું સેવન કરવાનાં ફાયદા

દરરોજ 1 ચપટી હળદર વજન ઘટાડવામાં મદદ કરે છે. સ્થૂળતા ઘટાડવા માટે હળદરનું પાણી પીવું જોઈએ.

હળદરનું પાણી પીવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટ સારી રીતે સાફ થાય છે.

હળદરમાં કર્ક્યુમિન જોવા મળે છે જે શરીરમાં બળતરા ઘટાડે છે.

હળદરમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે જે ત્વચા સારું છે. ત્વચાને રેડિકલ મુક્ત કરે છે અને કોષોના નુકસાનથી બચાવે છે.

હળદરમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

હળદરનું સેવન શરીરને અનેક પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે.

જ્યારે એક ચપટી હળદર ખાઓ છો, ત્યારે તે સ્વાસ્થ્યને સુધારે છે અને ફાયદો કરે છે.

હળદરનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેનાથી શરીર સ્વસ્થ રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application