૨૦૩૦ સુધીમાં દેશનું અર્થતત્રં ૭ ટ્રીલીયન ડોલર સુધી પહોંચી જશે

  • January 30, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના ઘણા મોટા દેશોની અર્થવ્યવસ્થાઓ સંઘર્ષ કરી રહી છે યારે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. નાણા મંત્રાલયના અનુમાન મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા સાત ટિ્રલિયન ડોલર સુધી પહોંચી શકે છે. જો કે, તેના માર્ગમાં કોઈ ઓછા પડકારો નથી.

વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૭%થી વધુ વધી શકે છે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં અર્થતત્રં ૭ ટિ્રલિયન ડોલરનું થઈ શકે છે. વચગાળાના બજેટ પહેલા, મંત્રાલયે છેલ્લા ૧૦ વર્ષની પ્રગતિ, વર્તમાન પડકારો અને આગામી વર્ષેામાં અર્થતંત્રની દિશા દર્શાવતો દસ્તાવેજ 'ધ ઈન્ડિયન ઈકોનોમી: અ રિવ્યૂ' બહાર પાડો હતો. મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્રારા બહાર પાડવામાં આવેલી સમીક્ષાની રજૂઆતમાં, નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર વી અનતં નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય અર્થતત્રં નાણાકીય વર્ષ ૨૦૨૪ માં ૭% કે તેથી વધુ વૃદ્ધિ દર નોંધાવે તેવી પ્રબળ સંભાવના છે. કેટલાક લોકો નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૭% વૃદ્ધિની આગાહી પણ કરી રહ્યા છે. ભવિષ્ય માટે આ એક સારો સંકેત છે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશોની હરોળમાં પહોંચવા માટે જીડીપી ગ્રોથ ૭%થી વધુ જાળવી રાખવો પડશે. આ માટે શિક્ષણ માટે વધુ સારી વ્યવસ્થા કરવી પડશે, કૌશલ્ય વિકાસ પર ભાર મૂકવો પડશે, દર વર્ષે વર્કફોર્સમાં જોડાતા લગભગ એક કરોડ લોકો માટે વધુ રોજગારીની તકો ઊભી કરવી પડશે, નાના ઉધોગો જે વધુ રોજગારી આપે છે તેનો પ્રચાર કરવો પડશે અને અન્ય ઘણી બાબતો કરવી પડશે. નિયમો અને મર્યાદાઓ ઘટાડવા પડશે.

સરકારનું લક્ષ્ય

દસ્તાવેજ જણાવે છે કે ભારત આગામી ત્રણ વર્ષમાં ૫ ટિ્રલિયન ડોલરના જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે. જો કે, સરકારે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત દેશ બનવાનું વધુ મોટું લય રાખ્યું છે. સતત આર્થિક સુધારા કરીને આ લય હાંસલ કરી શકાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૫માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ ૭% ની આસપાસ રહી શકે છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં વિકાસ દર ૭% થી વધુ રહેવાની પ્રબળ સંભાવના છે.

આ બાબતો બની શકે છે ચિંતાનો વિષય

સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, 'અર્થતત્રં માટે ચિંતાનો વિષય એ છે કે આવનારા દિવસોમાં વિશ્વના ઘણા ભાગોમાં વધતા સંઘર્ષનો ખતરો છે.' મુખ્ય આર્થિક સલાહકારે લખ્યું, 'કોવિડ પછી વૈશ્વિક અર્થવ્યવસ્થા તેની પુન:પ્રાિ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહી છે. કારણ કે એક પછી એક આંચકા આવી રહ્યા છે. તેમાંથી, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ જેવી સમસ્યાઓ ૨૦૨૪માં ફરી ઉભરી આવી. જો આ ચાલુ રહેશે, તો તેની સમગ્ર વિશ્વમાં વેપાર, પરિવહન ખર્ચ, આર્થિક ઉત્પાદન અને ફુગાવાના સંદર્ભમાં અસરો પડશે. ભારત આનાથી અછૂત નહીં રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application