જામનગરમાં ખવાસ જ્ઞાતિના સ્નેહમિલનમાં હાજરી આપવા આવેલા બુઝુર્ગનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ

  • April 30, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતા ખવાસ જ્ઞાતિ ના બુઝુર્ગ ખવાસ જ્ઞાતિના ટાઉનહોલમાં યોજાયેલા સ્નેહમિલનના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા, જે દરમિયાન ખુરશીમાં બેઠા બેઠા બેશુદ્ધ બન્યા હતા, અને હૃદય બંધ પડી જતાં અપ મૃત્યુ થયું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ નજીક ખેત્રી ફળીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા વિનોદભાઈ બચુભાઈ બાલા નામના ૭૩ વર્ષના બુઝુર્ગ ટાઉનહોલમાં યોજાયેલા જ્ઞાતિના સ્નેહ મિલન ના કાર્યક્રમમાં ખુરશી ઉપર બેઠા હતા, અને એકાએક ચક્કર આવતાં બેશુદ્ધ બન્યા હતા.


જેઓને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પરના તબીબે તેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પુત્ર કેતનભાઇ વિનોદભાઈ બાલાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application