સિહોરની બજારોમાં ટ્રાફિકના નામે છેલ્લા બે દિવસથી પોલીસના ઘાડે ધાડા ઉતારી દેવાતા વેપારીઓ સમસમી ઉઠ્યો હતા. બે દિવસ દરમિયાન બજારો ખાલીખમ અને સુમસામ નજરે પડી રહી છે. એક બાજુ મોંઘવારી, મંદીનો માહોલ સિહોરમાં છેલ્લા બે દિવસથી પોલીસની કામગીરી ને લઈને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
બે દિવસમાં ધંધા ઠપ્પ થઈને પડયા છે. આ બધું શુ કામ તો કે પોલીસને ટ્રાફિક અડચણ દુર કરવાના નામે બજારોમાં પોલીસના કાફલા ઉતારી દેવામાં આવ્યા છે જેનો માર એક તો સામાન્ય પ્રજા ને બીજો વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો છે. વર્ષોથી આ બજારો સાંકડી જ છે જે તે સમયે પાલિકા એ મંજૂરી આપેલા બિલ્ડીંગોમાં પાર્કિંગ ની સુવિધાઓ કરવામાં જ નથી આવી તો આ પ્રજા ક્યાં જાય વાહન મુકવા. એક બાજુ મોંઘવારી નો માર સરકાર આપતી જ રહે છે જેને લઈને મંદીનો માહોલ એમાં ઉપરથી હવે પોલીસનો કડક કાયદા નામે ત્રાસ. વેપારી મંડળો ત્રાહિમામ પોકારી જતા આગામી બે દિવસોમાં જ મિટિંગો ના દોર શરૂ કરી પોલીસની અડચણરૂપ કામગીરી સામે ન્યાય મેળવવા બંડ પોકારશે. આ વેપારીઓના તકલીફ ના પ્રશ્ને સામાજિક આગેવાન અને પત્રકાર પરિષદ ના પ્રમુખ મિલન કુવાડિયા એ વેપારીઓ નો સંપર્ક કરી તેમની વ્યથા સાંભળી આસવાસન આપતા કહ્યું કે સિહોર ના વેપારીઓ એક થાવ ને પોલીસ શા માટે આવા પગલાં ભરી રહી છે એના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વેપારીઓની કનડગત અટકાવવા રજૂઆત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech