અમેઠીમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર બસને અકસ્માત, પાંચ લોકોના મોત

  • July 09, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેઠીમાં એક મોપૂર્વાંચલ એક્સપ્રેસવે પર મંગળવારે વહેલી સવારે મોટો અકસ્માત સર્જાયો હતો અને બિહાર જતી બસ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે જ્યારે 12 લોકો ઘાયલ થયા છે.ઘાયલોને તાબડતોબ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
દિલ્હીથી સિવાન (બિહાર) જઈ રહેલી બસને પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા હતા જ્યારે 12 મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કયર્િ હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસનું કહેવું છે કે ઓળખ માટેના પ્રયાસો ચાલુ છે.હકીકતમાં, જિલ્લાના બજાર શુકુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર મંગળવારે સવારે 3 વાગ્યે દિલ્હીથી સિવાન તરફ જઈ રહેલી બસ (નંબર 53  2927) પાછળથી એક અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બસની ડાબી બાજુને નુકસાન થયું હતું. આ દરમિયાન બસમાં બેઠેલા 5 મુસાફરોના મોત થયા હતા. અને 12 મુસાફરો ઘાયલ થયા હતા. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સીએચસીમાં દાખલ કયર્િ હતા. જેમાં 11 લોકોને સીએચસી બજાર શુકુલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ માટે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ અકસ્માત અંગે ઘાયલોની પૂછપરછ પણ કરી રહી છે, જેથી પરિવારજનોને જાણ કરી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application