ખંભાળિયામાં નળની લાઈનમાં ભંગાણ

  • August 22, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્ર દ્વારા તાકીદની કાર્યવાહી


ખંભાળિયા નગરપાલિકાની હદમાં આવતાં રામનાથ સોસાયટી જેવા પોસ વિસ્તારમાં પસાર થતી પાણીની મેઈન લાઈનમાં કોઈ કારણોસર ગઈકાલે ભંગાણ થતા આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસના માર્ગદર્શન હેઠળ ઇજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમે તાકીદે દોડી જઈને સધન ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં લાંબી જહેમત બાદ સ્ટાફ દ્વારા આખી રાત કામ કરીને રીપેરીંગ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને આ વિસ્તારના રહીશોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ મળી રહે તે માટે વોટર વર્કસની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application