રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉમટશે બોલીવુડ હસ્તીઓ

  • January 22, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિતાભ ,રજનીકાંત, માધુરી સહિત ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ ભક્તિ રંગે રંગાશે


આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ હાજર રહેવાના છે. આ સ્ટાર્સમાં કોણ- કોણ હાજર રહેશે તેને લઈને યુપી સરકારે નામની યાદી જાહેર કરી છે. જે તમામ સ્ટાર્સની જમવા, રહેવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.


આજે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો કાર્યક્રમ છે. છેલ્લા કેટલાક દિવસોથી તેની તૈયારીઓ સતત ચાલી રહી છે. આ કાર્યક્રમમાં કોણ કોણ ભાગ લેશે તે અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ઘણા નામો પણ અગાઉથી સામે આવ્યા હતા.જેના વિશે એવું કહેવામાં આવ્યું હતું કે તે બધા આજે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે. જેના રાજ્ય સરકારે યાદી જાહેર કરી છે.


જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા અનુસાર કુલ 506 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જે તમામ રાજ્ય અતિથિ તરીકે અયોધ્યા આવીને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેશે. તેમના સ્વાગતથી લઈને વિદાય, રહેવા, ભોજન અને પરિવહનની તમામ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત સહિત ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી ઘણા એવા છે જે સીધા અયોધ્યા આવશે. જ્યારે ઘણા પહેલા લખનૌ પહોંચશે અને પછી ત્યાંથી અયોધ્યા જશે.


અયોધ્યા પહોંચી ગયા છે આ સ્ટાર્સ

બીજી તરફ રજનીકાંત, ધનુષ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા છે. અરુણ ગોવિલ પણ પહેલેથી જ અયોધ્યામાં છે.આ બધા સિવાય વિવેક ઓબેરોય, અનુ મલિક, પવન કલ્યાણ, રણદીપ હુડ્ડા, જુબિન નૌટિયાલ અયોધ્યા પહોંચી ગયા છે.


આ ફિલ્મ સ્ટાર્સ સીધા અયોધ્યા આવશે

અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી, માધુરી દીક્ષિત, પ્રભાસ આજે સવારે સીધા અયોધ્યા આવશે. તેમાંથી બિગ બી અને માધુરી દીક્ષિત પ્રાઈવેટ જેટ દ્વારા આવશે. જ્યારે બાકીના સ્ટાર્સ ફ્લાઈટ દ્વારા પહોંચશે. ધનુષ પણ આ કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહ્યો છે. સંગીતકાર શંકર મહાદેવન લખનૌ પહોંચી ગયા છે અને ત્યાંથી તેઓ અયોધ્યા જવા રવાના થશે.


આ સ્ટાર્સના પણ આગમનના સમાચાર છે

આ સિવાય અજય દેવગન, દીપિકા ચિખલિયા, હેમા માલિની, જુનિયર એનટીઆર, મોહનલાલ, મનોજ મુન્તાશિર, એસએસ રાજામૌલી જેવા અન્ય ઘણા સ્ટાર્સના આવવાના સમાચાર છે. દિવંગત ગાયિકા લતા મંગેશકરના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application