ડાયરેક્ટરે પોતે જ આપ્યો ખુલાસો, ભૂલ ભુલૈયા 3માં વિદ્યા, અક્ષય બન્ને જોવા મળશે
વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2માં જોવા મળી નહોતી, પરંતુ આનંદના સમાચાર એ છે કે હવે તે ત્રીજા ભાગમાં જોવા મળશે. એક્ટર કાર્તિક આર્યને આ વિશે માહિતી આપી છે. તમે જાણતા નહીં હોય કે ક્યાં કારણોસર વિદ્યા બાલન બીજા ભાગમાં કેમ જોવા મળી ન હતી. ફિલ્મના નિર્દેશક અનીસ બઝમીએ એકવાર આ વિશે જણાવ્યું હતું.
કાર્તિક આર્યન ફરી એકવાર આવતી દિવાળી 2024 પર ‘રુહ બાબા’ના નવા અવતારમાં જોવા મળશે. આ મુવીની મંજુલિકા એટલે કે વિદ્યા બાલન પણ ભૂલ ભુલૈયા 3માં પાછી નજરે પડશે. 12 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે કાર્તિકે માહિતી આપી હતી કે, વિદ્યા બાલન પાછી ફરી રહી છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ સોશિયલ મીડિયા પર ઉત્સાહિત છે.
અનીસ બઝમીએ જણાવી વાત
વર્ષ 2007માં જ્યારે ‘ભૂલ ભુલૈયા’ રીલિઝ થઈ ત્યારે લોકોએ તેમાં વિદ્યાને ખૂબ પસંદ કરી હતી. જો કે 2022માં રિલીઝ થયેલી ‘ભૂલ ભૂલૈયા 2’માંથી વિદ્યા ફિલ્મમાં જોવા મળી નહોતી.
અહીંયા નોંધનીય વાત એ છે કે અક્ષય કુમાર પણ ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળ્યો નહોતો. તેની જગ્યાએ કાર્તિક જોવા મળ્યો હતો. તેથી જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે ઇવેન્ટમાં તેના વિશે વાત કરતી વખતે અનીસ બઝમીએ કહ્યું હતું કે, અક્ષય અને વિદ્યા સ્ક્રિપ્ટ અનુસાર ફિટ નહોતા બેસતા.
તેથી તે બંને તેનો ભાગ નહોતા. તેણે કહ્યું હતું કે, “કાશ એવું થયું હોત કે જો અમે તેને ફિલ્મમાં થોડીવાર પણ લાવી શક્યા હોત તો તેનો સ્વાભાવિક ફાયદો હોત. પરંતુ સ્ક્રિપ્ટે તે તક આપી ન હતી.
ભૂલ ભુલૈયા 2 એ કેટલા પૈસા કમાયા?
જો કે ‘ભૂલ ભૂલૈયા 2’માં લોકોએ કાર્તિક આર્યનને ખૂબ પસંદ કર્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર પણ ખૂબ સારી એવી કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર તેનું બજેટ લગભગ 90 કરોડ રૂપિયા હતું અને તેણે વિશ્વભરમાં 266 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મુવી બોક્સ ઓફિસ પર એકદમ હટકે સાબિત થઈ હતી. તેની સફળતા પછી બધા ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ રાહ આવતી દિવાળી 2024 પર પૂર્ણ થવા જઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech