ભોજાબેડી ગામની મહિલાની માથાની નસ ફાટી જતા મૃત્યુ

  • January 12, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતી વખતે દુ:ખાવો અને અચાનક આંચકી આવી

જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતી એક મહીલાને પોતાની વાડીમાં ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતી વખતે માથામાં દુ:ખાવો ઉપડ્યા પછી એકાએક માથાની નસ ફાટી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતી અને ખેતી કામ કરતી ભાવિશાબેન હિતેશભાઈ કાછડીયા (ઉ.વ.૩૪) ગત તા. ૯ના રોજ વાડીમાં ઘઉંના ઉભા પાકમાં રાસાયણિક ખાતર યુરિયા નો છંટકાવ કરી રહી હતી, જે દરમિયાન તેણીને એકાએક માથામાં દુખાવો ઉપડ્યો હતો, અને પગમાં ખાલી ચડી જતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
 જ્યાં સારવાર દરમિયાન તેણીને આંચકી ઉપડી હતી, અને માથાની નસ ફાટી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પતિ હિતેશભાઈ દિનેશભાઈ કાછડીયાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ ની ટુકડી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application