ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ- કર્મચારીઓએ સફાઇ કરી

  • September 23, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે ત્યારે આજે  ભાવનગર જિલ્લા માહિતી કચેરી ખાતે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક આર.એસ.ચૌહાણ,  અધિક્ષક યુ.જે.બરાળ, સિનયર સબ એડીટર એસ.એન.મકવાણા, માહિતી મદદનીશ  કૌશિક શીશાંગીયા સહિત કચેરીના તમામ કર્મયોગીઓએ રૂમની દિવાલો-છત વગેરેની સફાઇ કરી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.  અત્રે  ઉલ્લેખનીય છે કે, સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતાના ધ્યેય સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા માહિતી કચેરી ભાવનગર દ્વારા પણ અલગ અલગ દિવસે સફાઇની  વિવિધ પ્રવૃતિઓ હાથ ધરીને ’સ્વચ્છતા અભિયાન’ને વધુ વેગવાન બનાવવા સહભાગી બની રહ્યાં છે. 
                                        



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application