પેકડ ફૂડ પર લખેલી વાત સાચી માની લેવી એ મોટી મૂર્ખાઈ જ છે

  • May 13, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના પેકડ ફડ આવી રહ્યા છે, જેને કંપનીઓ હેલ્ધી હોવાનો દાવો કરે છે. પરંતુ આ ઉત્પાદનો પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. આવી પ્રોડકટને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે.હેલ્થ રિસર્ચ બોડી આઈસીએમઆરએ કહ્યું છે કે આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે, કારણ કે પેકેડ ફડના લેબલ ભ્રામક અથવા ખોટા પણ હોઈ શકે છે. આઈસીએમઆર મુજબ, 'સુગર ફ્રી' હોવાનો દાવો કરતા ખોરાકમાં ચરબીનું પ્રમાણ હોઈ શકે છે અને તે પણ શકય છે કે પેકડ ફળોના રસમાં માત્ર ૧૦% ફળોનો રસ હોય. આવી સ્થિતિમાં, કોઈપણ વસ્તુ ખરીદતી વખતે, તેના પરના સ્વાસ્થ્યના દાવાઓને યોગ્ય રીતે વાંચવા જોઈએ. તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલ આહાર માર્ગદર્શિકામાં, આઈસીએમઆર એ જણાવ્યું હતું કે ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને સમજાવવા માટે પેકેડ ખોરાક પર આરોગ્યના દાવા કરી શકાય છે કે ઉત્પાદન સ્વાસ્થ્ય માટે સાંરૂ છે

કુદરતી ઉત્પાદન કોને કહી શકાય
આઈસીએમઆર હેઠળ હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્િટટૂટ આફ ન્યુટિ્રશન દ્રારા જારી કરાયેલા ભારતીયો માટે આહાર માર્ગદર્શિકા કહે છે, ભારતીય ખાધ સુરક્ષા અને ધોરણો પ્રાધિકરણના કડક નિયમો છે પરંતુ લેબલ પર લખેલી માહિતી ભ્રામક હોઈ શકે છે. કેટલાક ઉદાહરણો આપતા, એનઆઈએનએ જણાવ્યું હતું કે ખાધ ઉત્પાદનને 'કુદરતી' ત્યારે જ કહી શકાય જો તેમાં કોઈ રગં અથવા સ્વાદ કે કૃત્રિમ પદાર્થેા ન હોય અને તેની ઓછામાં ઓછી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application