મવડીમાં જીથરીયા હનુમાન મંદિર પાસે રહેતી અને ઘર પાસે જ બ્યુટીપાર્લર ચલાવનાર 48 વર્ષીય પરિણીતાએ ઝેર દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.પરિણીતાએ ઝેર પીધા બાદ ગોંડલ રહેતાં બનેવીને છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી બનાવની જાણ કરી હતી.પરિણીતાએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટના મવડીમાં જીથરીયા હનુમાન મંદિર પાસે આશિવર્દિ હોસ્પિટલ સામે રહેતાં ભાવનાબેન જગદીશભાઈ વસોયા (ઉ.વ.48) ઘર પાસે જ બ્યુટીપાર્લર ચલાવે છે. ગઈકાલે સાંજના સમયે તે પાર્લર પર હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી.બાદમાં તેના ગોંડલ રહેતાં બનેવી કમલેશભાઈને છેલ્લા જયશ્રી કૃષ્ણ કરી પોતે ઝેરી દવા પી લીધાની જાણ કરી હતી.ત્યારબાદ બનેવીએ મહિલાના પતિને જાણ કરી તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મૃત જાહેર કયર્િ હતાં. બનાવ અંગે હોસ્પિટલના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઈ બી. ડી.ઠાકોર સહિતનો સ્ટાફ દોડી હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મૃતકના પતિ ડેરી ચલાવે છે. તેમજ મૃતકના ત્રીજા લગ્ન હોવાનું માલુમ પડયું છે.પરિણીતાએ કયાં કારણસર આ પગલું ભરી લીધું તેનાથી પરિવારજનો અજાણ હોય પોલીસે પરિણીતાના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાહુલ ગાંધી વિરૂધ્ધ બકવાસ કરતા ભાજપના નેતાઓ સામે એફ.આઇ.આર. નોંધો: પોરબંદર કોંગ્રેસ
September 21, 2024 01:49 PMપોલીસે ઢીકાપાટુ વરસાવ્યાના આક્ષેપ સાથે ડિસ્ટ્રીકટ જજને થઇ ફરિયાદ
September 21, 2024 01:48 PMપોરબંદરમાં વીજચોરીના બે કેસમાં આરોપીનો થયો નિર્દોષ છૂટકારો
September 21, 2024 01:46 PMજામનગરની જનતાની સમસ્યા અંગે આપ કેમ મૌન છો કોંગ્રેસની મેયરને રજૂઆત
September 21, 2024 01:39 PMવડાપ્રધાનના જીવનના અમૃત મહોત્સવ અવસ૨ે વૃક્ષા૨ોપણ કાર્યક્રમ યોજાયો
September 21, 2024 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech