જડેશ્ર્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા બાળકોને બટુક ભોજન

  • August 13, 2024 11:19 AM 

જામનગરમાં પટેલપાર્કમાં આવેલા સુપ્રસિઘ્ધ જડેશ્ર્વર મહાદેવના મંદિરમાં જડેશ્ર્વર મહાદેવ યુવા ગ્રુપ દ્વારા ગઇકાલે 800થી વધુ બાળકોને બટુક ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, શ્રાવણ માસના પવિત્ર દિવસો દરમ્યાન દેવાધીદેવ જડેશ્ર્વર મહાદેવને વિવિધ શણગાર કરવામાં આવે છે અને આજુબાજુના વિસ્તારમાંથી હજારો લોકો મહાદેવને નમન કરવા આવે છે, દર વર્ષે યુવા ગ્રુપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતાં હોય તેમના આ સેવાકીય કાર્યની પણ વિસ્તારમાં પ્રસંશા થઇ રહી છે, ગઇકાલે મોટી સંખ્યામાં બાળકોએ સામુહીક બટુક ભોજન લીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application