ખંભાળિયા નજીક હાઇવે પર પુરપાટ જતા કાર ચાલક દ્વારા બેરીકેટ સાથે ટક્કર

  • April 03, 2024 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફોર્ચ્યુનર કાર ચાલક સામે ગુનો નોંધાયો


ખંભાળિયામાં સ્ટેશન રોડ ઉપર આવેલા નરસિંહ ભુવનની પાછળના ભાગે રહેતા વિશ્વરાજસિંહ મયુરસિંહ પરમાર નામના 22 વર્ષના શખ્સએ રાત્રિના દોઢ વાગ્યાના સમયે ખંભાળિયા - જામનગર હાઈવે પર દેવરીયા ચેક પોસ્ટ પાસેથી પોતાની જીજે. 37 બી. 2627 નંબરની ફોર્ચ્યુનર મોટરકારને પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી અને સરકારી બેરીકેટને ટક્કર મારી હતી.


આમ, સરકારી મિલકતને તોડી પાડી અને નુકસાની પહોંચાડવા સબબ ખંભાળિયા પોલીસે કાર ચાલક વિશ્વરાજસિંહ પરમાર સામે આઈપીસી કલમ 279 તથા એમ.વી. એક્ટ અને પ્રિવેન્શન ઓફ ડેમેજીસ્ટ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લેવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application