રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવખત એવું બન્યું છે કે શાસક પક્ષ ભાજપ્ના તમામ કોર્પોરેટરને પાર્ટી સંકલન મિટિંગમાં મોબાઇલ ફોન લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ! આ નિર્ણય મામલે જાત જાતની ચચર્િ થઇ રહી છે પરંતુ આ મુદ્દે જાહેર કરાયેલું અને વાસ્તવિક કારણ કંઇક અલગ હોવાની ચચર્િ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ પૂર્વે સવારે 10 કલાકે મળેલી સંકલન મિટિંગમાં ભાજપ્ના તમામ કોર્પોરેટરને તેમના મોબાઇલ ફોન બહાર મુકવા ફરજ પડી હતી. આજથી આ નિર્ણયની અમલવારી શરૂ થઈ છે અને હવે કાયમી ધોરણે લાગુ રહેશે તેમ જાણવા મળે છે. વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહાપાલિકામાં લગભગ દર સપ્તાહે મળતી સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ અને દર બે મહિને મળતી જનરલ બોર્ડ મિટિંગ પૂર્વે રાજકોટ શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને અને શહેર સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ મળતી હોય છે હાલ સુધી આ મિટિંગમાં કોર્પોરેટર્સને મોબાઇલ ફોન સાથે લઇ જવા ઉપર કોઈ પ્રતિબંધ ન હતો પરંતુ જ્યારથી રાજ્યવ્યાપી સમીકરણો બદલાયા અને તેની અસરના ભાગરૂપે રાજકોટના સ્થાનિક સમીકરણો બદલાયા ઉપરાંત તાજેતરમાં મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણુંક થઇ ત્યારથી કોર્પોરેટર્સને પાર્ટી સંકલનની મિટિંગમાં મોબાઇલ ફોન સાથે લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિયુક્તિ બાદ સ્ટેન્ડિંગ કમિટિ મિટિંગ અને જનરલ બોર્ડ મિટિંગમાં અમુક કોર્પોરેટર્સ મહત્વની દરખાસ્તો અંગે ચચર્મિાં જોડાવાને બદલે મોબાઇલ ફોનમાં વોટ્સએપ, ફેસબુક વિગેરેમાં તેમજ વીડિયો ગેઇમ રમવામાં વ્યસ્ત હોવાના દ્રશ્યો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિકમાં પ્રસિધ્ધ થતા તેમજ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા મિટિંગમાં મોબાઇલ ફોન ઉપર પ્રતિબંધ જારી કરવામાં આવ્યો હતો. જો કે પાર્ટી સંકલનની મિટિંગનું મીડિયા કવરેજ થતું હોતું નથી તેમ છતાં આજે પાર્ટી સંકલનની મિટિંગ પૂર્વે મોબાઇલ ફોન લોકરમાં મુકવામાં આવતા આ બાબત ચચર્નિો વિષય બની હતી.જો કે સત્તાવાર કારણ જે કંઈ જાહેર કરાયું હોય પક્ષના જ નવા અને જૂના તેવા બે જૂથ વચ્ચે ચાલતો જૂથવાદ તેમજ પદ મળવાથી વંચિત રહેલા કોઇ અસંતુષ્ટ હરક્ત ન કરી શકે તેવા હેતુથી આ નિર્ણય અમલી કરાયાની પણ મ્યુનિ.વર્તુળોમાં ચચર્િ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech