એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મહિલાઓને કોર્ટમાં ડાઈવોર્સી કહેવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્રણ વર્ષ પહેલાં એક વૈવાહિક વિવાદમાં દાખલ કરાયેલી અરજી પર ચુકાદો આપતાં, ન્યાયાધીશ વિનોદ ચેટર્જી કૌલે મહિલાઓને ડાઈવોર્સી તરીકે ઓળખવાને ખરાબ પ્રથા ગણાવી હતી અને કહ્યું હતું કે ફક્ત છૂટાછેડા લીધા હોવાના આધારે મહિલાને ડાઈવોર્સી તરીકે ઓળખવી એ ખોટી અને પીડાદાયક પ્રથા છે.
જો સ્ત્રીઓ માટે છૂટાછેડા લેનાર ડાઈવોર્સી લખી શકાય છે, તો પુરુષો માટે પણ ડાઈવોર્સર લખવું જોઈએ, જે સમાજમાં સ્વીકાર્ય નથી. હાઈકોર્ટે એક આદેશ જારી કરીને તમામ નીચલી અદાલતોને આ નિર્ણયનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે નિર્ણયની સમીક્ષા માટે અરજી દાખલ કરનાર અરજદારને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો.
હાઈકોર્ટે કહ્યું કે કોઈપણ છૂટાછેડા લીધેલી મહિલાની ઓળખ ફક્ત કોર્ટના દસ્તાવેજોમાં તેના નામથી જ થશે. જો કોઈ પણ અરજી કે અપીલમાં કોઈ મહિલાને ડાઈવોર્સી તરીકે ઉલ્લેખ કરવામાં આવે તો તે અરજી રદ કરવામાં આવશે. વકીલો અને મહિલાઓએ આ નિર્ણયની પ્રશંસા કરી છે.
ઓગસ્ટ 2023 માં, તત્કાલીન સીજેઆઈ ડી.વાય. ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ વતી એક હેન્ડબુક જારી કરી હતી. આમાં અમુક સંબોધનકર્તા શબ્દનો ઉપયોગ ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. માર્ગદર્શિકા મુજબ, ગુનેગાર, પછી ભલે તે પુરુષ હોય કે સ્ત્રી, તે એક વ્યક્તિ છે. તેના માટે વ્યભિચારી, અનૈતિક, છેતરપિંડી કરનાર, ભટકનાર જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાતો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech