મહાપાલિકા સહિત અન્ય વિસ્તારોમાં પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને સળગાવવા પર પ્રતિબંધ

  • September 21, 2024 02:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર,તમામ નગરપાલિકા વિસ્તાર,ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ,અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાતે ઘન કચરો,પ્લાસ્ટીક તથા શીપ કટીંગ દરમિયાન નિકળતા વાયરો તથા અન્ય વસ્તુઓને બાળવા/સળગાવાની પ્રવૃતિને કારણે ઉત્પન્ન થતા ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છે અને તે લોકોનાં સ્વાસ્થ્ય માટે હાનીકારક નીવડે છે. આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ઘન કચરો,પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ તે માટે જાહેરનામું બહાર પાડવા પ્રાદેશિક અધિકારીશ્રી,ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગરના પત્ર થી દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવું યોગ્ય જણાય છે.
આથી  એન.ડી. ગોવાણી (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ,ભાવનગર જિલ્લો,ભાવનગરને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ  મળેલ અધિકારની રૂઈએ આથી હુકમ કર્યો છે કે,લોકોને શુધ્ધ પ્રદુષણરહિત હવા મળી રહે અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર,તમામ નગરપાલિકા વિસ્તાર,ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ,અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ થતાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ઘન કચરો,પ્લાસ્ટીક કે અલંગ યાર્ડમાંથી નીકળતા પ્લાસ્ટીક કોટેડ વાયર વગેરેને બાળવા/સળગાવવા નહિ.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો અમલ કમિશનર, મહાપાલિકા, ભાવનગર, મુખ્ય કારોબારી અધિકારી,ભાવનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળ, ભાવનગર, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર, નિર્દિષ્ટ અધિકારી અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ, અલંગ,સંબંધિત ચીફ ઓફીસર, નગરપાલિકાઓ તથા સંબંધિત પોલીસ થાણાના અધિકારીઓએ કરાવવાનો રહેશે. સદરહું જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ સજા થશે.

    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application