પ્રભાસપાટણ ત્રિવેણી સંગમમાં વસ્તુઓ પધરાવવા પર પ્રતિબંધ

  • February 21, 2025 09:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગીરસોમનાથના પ્રભાસ પાટણ ખાતે આવેલ ત્રિવેણી સંગમની નદીમાં પૂજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફલો, માટીના વાસણો વિગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાધ સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાંખવા પર પ્રતિબધં મૂકવા અને ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પીંડ વિસર્જન કરી શકાશે તે મુજબ અમલવારી કરવા અધિક જિલ્લ ા મેજીસ્ટ્રેટ રાજેશ આલે જાહેરનામું પ્રસિદ્ધ કયુ છે.
આ જાહેરનામાં અનુસાર ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પુજા સામગ્રી જેવી કે ચૂંદડી, કાપડ, નાળીયેર, ફલો, માટીના વાસણો વિગેરે વસ્તુઓ પધરાવવા તથા પ્લાસ્ટીકની કોથળીઓ, અન્ય પ્લાસ્ટીકની સામગ્રી, રાંધેલ કે કાચી ખાધ સામગ્રી તથા અન્ય કોઈપણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે. વિશેષમાં ત્રિવેણી સંગમના પાણીમાં માત્ર અને માત્ર અસ્થિ અને પિંડ વિસર્જન કરી શકાશે.
આ જાહેરનામાનો ભગં કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૨૨ ફેબ્રુઆરીથી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.
ત્રિવેણી સંગમમાં પ્રતિબંધિત વસ્તુઓને પધરાવવાની સખ્ત મનાઇ અંગેનુ જાહેરનામુ હોવા છતાં ખુલ્લ ે આમ પ્રતિબંધિત પધરાવવામાં આવે છે અને ત્રિવેણી સંગમમાં ચારે બાજુ ગંદકી જોવા મળે છે અને જાહેરનામાનો ખુલ્લ ે આમ ભગં કરવામાં આવે છે. પ્રતિબધં માત્ર નામ પુરતો છે તત્રં દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ અમલવારી કરાવવામાં આવતી નથી. જેથી આ જાહેરનામાનો સખ્ત અમલવારી કરાવે તેવી લોકોની માંગણી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application