અયોધ્યા ચોક પાસે છરીથી જીવલેણ હુમલાના વધુ બે આરોપીના જામીન મંજૂર

  • April 11, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરમાં અયોધ્યા ચોક પાસે જુની અદાવતનો ખાર રાખી યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા વધુ બે હીસ્ટ્રીશીટર આરોપીઓની ચાર્જશીટ પછીની જામીન અરજી સેશન્સ કોર્ટે મંજૂર કરી છે.

આ કેસની હકિકત મુજબ ગઈ તારીખ 1/ 11/ 2024ના રોજ રાજકોટમાં જામનગર રોડ મનહરપુર ૧માં આવેલી પૃથ્વીરાજ સોસાયટીમાં રહેતા ફરીયાદી પ્રકાશભાઈ ઉર્ફે પીન્ટુભાઈ રમેશભાઈ લખલાણી અયોધ્યા ચોક પાસે, ટાઈમ સ્કવેર બીલ્ડીંગ સામે ફુટપાથ ઉપર ઉભા રહી પોતાના મિત્ર રફીકભાઈ સાથે વાતચીત કરતા હતા ત્યારે જુની અદાવતનો ખાર રાખી મીત ધામેચા, મનીષ ધામેચા, અમીત ધામેચા, ચિરાગભાઈ ધામેચા અને અશોકસિંહ ઉર્ફે આર.સી. ગોહીલ નામના શખ્સોએ છરી અને પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો. આ અંગે ગાંધીગ્રામ પોલોસમાં ફરિયાદ નોંધાતા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસનું ચાર્જશીટ મુકાઈ જતા જેલ હવાલે રહેલા પૈકીના આરોપી અમીત બાબુભાઈ ધામેચા અને અશોકસિંહ ઉર્ફે રૂતુરાજસિંહ ઉર્ફે આર.સી. જગદીશભાઈ ગોહેલે સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બચાવ પક્ષે રોકાયેલ એડવોકેટ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે ઇજાગ્રસ્તનું ડીડી અને ચાર્જશીટમાં જોવામાં આવે તો હાલના આરોપીઓએ ઇજા કરેલ છે તેવું દર્શાવેલ નથી, આરોપીઓને અગાઉના કેસમાં ક્યાંય સજા થઈ નથી, તેમજ ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને આરોપીને જામીન મુક્ત કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ રોહીતભાઈ બી. ઘીયા, હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application