પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી હોય કાસળ કાઢી નાંખ્યું હતું
જામનગર ના એક શખ્સે પ્રેમ સંબંધ માં આડખીલીરૂપ બનતી પાંચ વર્ષ ની બાળકી ની હત્યા કરી હતી.જે અંગે ની ફરિયાદ આરોપી શખ્સ ની પ્રેમીકાએ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.જે આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના એક મહિલાએ પોતાના પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. આ વેળાએ તેણી સાથે પુત્રી રહી હતી. આ મહિલાનો વીરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમસંબંધ બંધાયા પછી વીરેને લગ્ન કરવા જણાવ્યું હતું પરંતુ આ મહિલાની પુત્રીને સાથે નહીં રાખવા કહ્યું હતું.
આ મામલે તે મહિલા અને વીરેન વચ્ચે વિખવાદ થયા પછી પાંચ વર્ષની બાળકી આડખીલી રૂપ બનતી હોવાથી વીરેન જાનકીદાસ રામાવતે આ બાળકીના પેટમાં બચકુ ભરી લઈ વેલણથી હાથ, પગ તથા માથામાં ઈજા પહોંચાડતા તે બાળકીનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
જે આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરતાં સરકાર તરફથી રોકાયેલા મદદનીશ જિલ્લા સરકારી વકીલ પિયુષ પરમારે દલીલો રજૂ કરી હતી. જેને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી વીરેન જાનકીદાસ રામાવત ની જામીન અરજી ના મંજૂર કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે શોધ સમિતિની રચના
March 12, 2025 09:51 PMદક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ: 90% પુરવઠો પુનઃસ્થાપિત, રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
March 12, 2025 08:02 PMRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech