જામનગર નાં અનેક ખેડૂતો સાથે રાસાયણિક દવા અને તાડપત્રી ની એજન્સી અપાવી દેવા નાં છેતેરપિંડી આચરી ઠગાઈ કરવના કેસ મા ઝડપાયેલ આરોપી નાં જામીન નાં મંજૂર થયા છે.
ઠગાઈ કરવા નાં ઈરાદાથી સેવન સ્ટાર પ્લાસ્ટિક કંપની પ્રા.લી. નામ હેઠળ એક ગેરકાયદેસર કોલ-સેન્ટર ઉભુ કરવા આવ્યું હતી. તેમજ વિવિધ જીલ્લાના ખેડુતોના નામ-સરનામાં તથા મોબાઈલ નંબર વાળો સેસીટીવ ડેટા મોટા પ્રમાણમાં ગેર કાયદેસર રીતે મેળવી લઇ એ ડેટાનો દૂર ઉપયોગ કરી તાડપત્રી તથા રાસાયણીક દવાની એજન્સી આપવાના બહાને ખેડુતોને ઉપરોક્ત કંપનીના નામ હેઠળ ફેક કોલિંગ કરવા આવ્યાં હતાં બાદ જે ભોગબનનાર ખેડુતો તાડપત્રી કે ખેતી માટેની રાસાયણીક દવા ખરીદ કરવા સહેમત થાય તેઓને થોડી સંખ્યામાં તાડપત્રી કે ખેતી માટેની રાસાયણીક દવા તથા નકલી બીલો મોકલી ભોગબનનારા ખેડુતોનો વીશ્વાસ કેળવ્યો હતો. બાદ મા તાડપત્રી તથા ખેતી માટેની રસાયણીક દવાની એજન્સી આપવાની લાલચ આપી ખેડૂતો પાસેથી ઓનલાઇન તથા આંગડીયા પેઢી દ્વારા રૂપીયા પડાવી લઇ કોઇ રાસાયણીક દવા કે કોઈ એજન્સી નહી આપી ઠગાઈ કરી ગુન્હો કર્યો હતો. આ ગુન્હાની તપાસ દરમ્યાન આજદિન સુધીમાં જામનગર જિલ્લાના ૨૦ થી વધુ ખેડૂતો ભોગબનેલ હોવાનું અને આ ભોગબનનાર તમામ ખેડુતો સાથે ફૂલ છ લાખ જેટલી રકમની આરોપીઓ દ્વારા ઠગાઈ કરેલ હોવાનું જણાઇ આવેલ છે.
જેમાં આ ગુન્હાનો મુખ્ય આરોપી પરેશભાઈ વિનુભાઈ વેલાણી ( રહે .જુનાગઢ) ની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. અગાઉ પણ આરોપી એ જામીન માટે સેશન્સ કોર્ટ અરજી કરી હતી., જે જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજુર કરવા આવી હતી. એ પછી ગુજરાત હાઈકોર્ટ મા અરજી હિયરિંગ દરમ્યાન આરોપી તરફથી જામીન અરજી વિડ્રો કરાયેલ.હતી. જે બાદ મા આરોપી રેગ્યુલર જામીન માટે સેશન્સ કોર્ટ જામનગર ને અરજી કરેલ, જે જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજુર કરાયેલ છે. જેમાં જામનગર પોલીસ દ્વારા રજુ કરેલ એફીડેવીટ તથા સરકાર તરફે ફરીયાદી પક્ષ તરફ થી સરકારી વકીલ અને ડિસ્ટ્રીકર ગવર્મેન્ટ પ્લિડર જે.કે.ભંડેરી તથા સરકારી વકીલ બી.વી.વાદી ના ઓની કાયદાકીય ચોક્કસ દલીલો ને ધ્યાને લઈ જામનગર સેશંસ કોર્ટ દ્વારા સદરહ આરોપીના ના જામીન ના મંજુર કરાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech