ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે બદ્રીનાથ–ઋષિકેશ હાઈવે કરાયો બંધ

  • May 11, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરાખંડમાં આ વર્ષે ચાર ધામ યાત્રા શરૂ  થયાના એક દિવસ બાદ જ ભારે વરસાદને કારણે સિરોબાગઢ નજીક બદ્રીનાથ–ઋષિકેશ હાઈવે બધં કરી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ–શ્રીનગર અને કાલિયાસોદ પર રોકી દેવામાં આવ્યા છે.યાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તેની કાળજી લેવામાં આવી રહી છે. સિરોબાગઢમાં સતત પડી રહેલા કાટમાળને કારણે, રસ્તો હજુ સુધી ખોલવામાં આવ્યો નથી. શિયાળાની ઋતુમાં આ મંદિરો બધં રહે છે. ગંગોત્રીના પોર્ટલ બપોરે ૧૨.૨૫ વાગ્યે ખોલવામાં આવ્યા હતા. કેદારનાથ અને યમ્યુનોત્રીના દરવાજા સવારે ૭ વાગ્યે ખોલવામાં આવ્યા હતા.કેદારનાથમાં ઉધ્ઘાટન સમારોહ દરમિયાન, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન આસામના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામી, તેમની પત્ની ગીતા અને હિમંતા બિસ્વા સરમાની પત્ની રિનિકી ભૂયન સરમા હાજર હતા. પુષ્કર સિંહ ધામીએ કહ્યું, આ એક શુભ દિવસ છે જેની અમે આખું વર્ષ રાહ જોઈએ છીએ.કેદારનાથ મંદિરનો ઉધ્ઘાટન સમારોહ એક ભવ્ય પ્રસગં હતો જેમાં હેલિકોપ્ટર દ્રારા શ્રદ્ધાળુઓ પર ફલોની વર્ષા કરવામાં આવી હતી. ૨૦ કિવન્ટલથી વધુ વિવિધ ફલોથી શણગારવામાં આવ્યું હતું. દરવાજા ખોલવાના સમયે, લગભગ ૧૦,૦૦૦ ભકતો ૨૦ કિવન્ટલ વિવિધ ફલોથી શણગારેલા મંદિરના સાક્ષી બનવા માટે ઉભા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application