બાબા બાગેશ્વર ઉઘાડા પગે દ્વારકાની પદયાત્રામાં જોડાયા, અનંત અંબાણીને ખાસ મિત્ર ગણાવ્યા, જાણો તેમના વિશે બીજું શું કહ્યું

  • April 04, 2025 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રિલાયન્સ ગ્રુપના અનંત અંબાણી છેલ્લા આઠ દિવસથી દ્વારકાની પદયાત્રા કરી રહ્યા છે. આજે આઠમાં દિવસે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અનંત અંબાણી સાથે પદયાત્રામાં જોડાયા હતા. આજની પદયાત્રા પૂર્ણ કરી ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામ જવા માટે જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા.


અનંત અંબાણીએ આજે વહેલી સવારે 5 વાગ્યે મહાદેવડિયા ગામ નજીકથી યાત્રાનો પ્રારંભ કર્યો હતો અને ખાડી પાસે યાત્રા પૂર્ણ કરી હતી. આઠ દિવસમાં અનંત અંબાણીએ 81 કિલોમીટરનું અંતર કાપ્યું છે. અનંત અંબાણીની પદયાત્રાના આઠમાં દિવસે તેઓની સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પણ જોડાયા હતા. તેઓ ચંપલ પહેર્યાં વગર ખુલ્લા પગે યાત્રામાં જોડાયા હતા.


અનંત અંબાણી મારા તો ખાસ મિત્ર છે
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, આ ભક્તિ અને શક્તિની યાત્રા છે, મારા પરમમિત્ર અનંત અંબાણી દ્વારકાધીશનાં ચરણોમાં શીશ નમાવવા જઈ રહ્યા છે. તેઓનું તન નિરોગી છે, મન તંદુરસ્ત છે અને શ્રદ્ધાથી ભરપૂર છે. મારા તો ખાસ મિત્ર છે. મને ખૂબ ગૌરવ છે. હું પણ તેઓની સાથે પદયાત્રામાં જોડાયો છું. આ પદયાત્રાથી એક સંદેશ આપવા માગું છું કે, આપણે જમીનથી જોડાયેલા રહેવું જોઈએ. આપણે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ બિલ્ડિંગ હવામાં ઊભી ન રહી શકે. જમીન પર જ બિલ્ડિંગ ઊભી રહી શકે છે. દ્વારકાધીશ અનંત અંબાણીની સાથે છે.


યાત્રામાં અનંત અંબાણી અને 200 બ્રાહ્મણો સાથે તેઓ પર પગપાળા ચાલ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણી સાથે ફોટો પડાવવા પણ લોકો પહોંચી ગયા હતા અને તેઓને દ્વારકાધીશની છબી ભેટ પણ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application