ભાજપમાં મોહ ભંગ થતાં બીટીપીના નેતા મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું

  • April 15, 2025 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત.તા.૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ ભાજપનો ખેસ ધારણ કરનાર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો મોહ ભગં થતા ઘર વાપસી થઈ છે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડા ના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા એ ભાજપ પ્રવેશ કર્યા બાદ એક વર્ષમાં જ તેમને રાજીનામું આપી દીધું છે ભચના સિનિયર આદિવાસી નેતા આગેવાન છોટુ વસાવાના તેઓ પુત્ર છે.
નર્મદાના આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે,મહેશ વસાવા લોકસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા હતા અને થોડો સમય ભાજપમાં રહીને તેમણે રાજીનામું આપ્યું છે, તેમણે રાજીનામું આપવાનું કારણ દર્શાવ્યું કે,ભાજપ પાર્ટીમાં તેમના કામ થતા નથી જેને લઈ તેઓએ રાજીનામું આપ્યું છે, તેમણે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું મોકલી આપ્યું છે.
મહેશ વસાવા આદિવાસી નેતા છે અને આદિવાસીમાં તેઓ સા પ્રભુત્વ ધરાવે છે,મહેશ વસાવા છેલ્લ ા ઘણા સમયથી ભાજપ પાર્ટીમાં નિષ્ક્રિય હતા અને મહેશ વસાવા અગાઉ બીટીપી પાર્ટીના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ હતા,તેઓએ તેમના સમર્થકોને પૂછીને આ રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવી છે.મહેશ વસાવા ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય છે,તો મહેશ વસાવા પાસે ભાજપમાં કોઈ ખાસ હોદ્દો ન હતો.
ગત.તા.૧૧મી માર્ચ ૨૦૨૪ના રોજ ગાંધીનગરના ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. નર્મદા અને ભચ જિલ્લ ાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સાં એવું પ્રભુત્વ છે. મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા પરંતુ પાર્ટીમાં તેમના કામ થતા ન હતા તેને લઈ લાંબા સમયથી નારાજગી હોવાની વાત પણ સામે આવી હતી,બીટીપી પાર્ટીના સ્થાપક છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application