મુરાદાબાદના બીજેપી ઉમેદવાર સર્વેશ સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

  • April 20, 2024 08:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વેશ સિંહનું નિધન થયું છે. તેમણે દિલ્હી AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. બીજેપી ઉમેદવારનું બિમારીના કારણે અવસાન થયું છે. સર્વેશ સિંહ 5 વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂક્યા છે, આ વખતે પણ તેમને ભાજપે ટિકિટ આપી છે. મુરાદાબાદથી ભાજપના ઉમેદવાર સર્વે સિંહનું લાંબી બીમારી બાદ નિધન થયું છે.


પ્રથમ તબક્કાના મતદાન બાદ સર્વેશ સિંહને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમના ફેફસામાં સંક્રમણ ફેલાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મહત્વનું છે કે ગઈકાલે જ મુરાદાબાદ સીટ પર મતદાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application