જામનગર સહીત ત્રણ લોકસભા બેઠકના પ્રભારી આર.સી.ફળદુ

  • January 03, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ અને અમરેલીની લોકસભાની બેઠકની પણ જવાબદારી સોંપાઇ: પ્રદિપસિંહ જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પણ કેટલાક જિલ્લાની જવાબદારી અપાઇ

લોકસભાની ચુંટણીના મહા જંગની નગારે ઘા થવાની તૈયારી છે, આ મહા મુકાબલા માટે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પુર્વ તૈયારીઓ કરવાના ભાગરુપે ગુજરાતની ૨૬ બેઠકોના ૩-૩ ભાગ કરીને કલસ્ટર બનાવી પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે અને પુર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ આર.સી. ફળદુને જામનગર, પોરબંદર, રાજકોટના કલસ્ટરના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
લોકસભા ૨૦૨૪ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સતરંજ ગોઠવવામાં આવી રહી છે. તેના ભાગરુપે ૨૬ બેઠકોને ૩ જુમા વહેચી દેવામા આવી છે. આ માટે ૮ નેતાઓને જવાબદારીઓ સોંપાઈ ચુકી છે.ભાજપ દ્વારા ગુજરાતમાં લોકસભાની ૨૬માંી ૨૬ બેઠક જીતવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. જેમાં ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૬ બેઠકોને ૩-૩ના ક્લસ્ટર જૂ બનાવાયા છે.જેમાં ૨૬ લોકસભા બેઠક માટે અલગ અલગ બેઠક પર અલગ અલગ વરિષ્ઠ  પદાધિકારીઓને જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, નરહરિ અમીન, આર.સી.ફળદુ, કે.સી.પટેલ. બાબુભાઈ જેબલીયાને જવાબદારી સોંપવામાં આવી છે. જેની આગામી ૬ જાન્યુઆરી મહત્ત્વની બેઠક મળશે. જેમા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠ ા બાદ ૨૫ જાન્યુઆરીી ૨૫ માર્ચ સુધી રામ મંદિરમાં એક મેગા અભિયાન ચલાવવામાં આવશે. રામ મંદિરના દર્શન કરવા ઈચ્છુક લોકોની મદદ માટે પાર્ટી દરેક સંભવ પ્રયાસ કરશે. આ ઉપરાંત બૂ કાર્યકરોને રામ મંદિરના દર્શન કરવા માંગતા લોકોનો સંપર્ક કરવા અને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.અને છેવાડાના માનવી સુધી પહોચવાનો પ્રયાસ કરવામા આવશે.
લોકોમાં એક સવાલ રહેતો હોય છે કે જે તે બેઠકના પ્રભારીઓની જવાબદારી શું હોય છે, તેનો એક લીટીમાં જવાબ એ છે કે, ચુંટણી પુર્વે જે તે બેઠક પર નિમાયેલા પ્રભારીને બુથલેવલથી લઇને સંગઠન સુધી તમામને દોડતા કરવાની જવાબદારી રહે છે.
જયાં બુથ નબળા હોય તેને મજબુત કેમ કરવા, દા.ત. પાછલી ચુંટણીમાં એક બુથ પર ખાધ આવી હોય તો તે દૂર કેમ કરવી અને જે બુથ મજબુત હોય તેને વધુ સારા બનાવી તેની મજબુતાઇ કેમ જાળવી રાખવી એ જોવાનું હોય છે, બેઠકો લેવાની હોય છે, સંગઠનો સાથે બેઠક કરીને વ્યકિતગત સંપર્ક કરીને વધુ મજબુત કરવા કામગીરી કરવાની હોય છે અને ખાસ કરીને તમામને દોડતા કરવાના હોય છે.
જયાં સુધી જામનગરની લોકસભાની બેઠકને લાગે વળગે છે ત્યાં સુધી અહીં પાછલા વખતે રેકર્ડબ્રેક લીડ આવી હતી અને આ બેઠક પર પરિણામને લઇને કોઇ સંદેહ નથી ત્યારે  ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ દ્વારા પાંચ લાખની લીડનો જે ગોલ નકકી કરાયો છે તે સાકાર કરવા પ્રભારીને કામગીરી કરવાની રહેશે.
***
કોની કઈ બેઠકની જવાબદારી
ભાજપે ૨૬ લોકસભા બેઠક માટે વરિષ્ઠ  નેતાઓને સોંપી જવાબદારી
પ્રદીપ સિંહ જાડેજા - વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ
ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા - ભાવનગર, જૂનાગઢ, અમરેલી
આર સી ફળદુ - રાજકોટ, જામનગર, પોરબંદર
નરહરિ અમીન - ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ
અમિત ઠાકર - બનાસકાંઠા ,પાટણ ,કચ્છ
બાબુભાઈ જેબલિયા - સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા
કે સી પટેલ - અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર
જ્યોતિબેન પંડ્યા - સુરત નવસારી વલસાડ, બારડોલી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application