અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટનાઓ અટકી રહી નથી. હવે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બીએપીએસ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિન્દુ વિરોધી સંદેશાઓ લખીને તોડફોડ કરી હતી. કટ્ટરવાદીઓએ મંદિરની દિવાલો પર હિંદુઓ પાછા જાઓના નારા લખ્યા છે. આ ઘટનાથી કેલિફોર્નિયાની રાજધાની સેક્રામેન્ટોમાં રહેતા હિન્દુઓમાં ભય ફેલાયો છે. અમેરિકામાં એક જ મહિનામાં સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડની આ બીજી ઘટના છે
તાજેતરમાં જ ન્યૂયોર્કથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ત્યાં પણ સ્વામી નારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. લગભગ ૧૦ દિવસ પહેલા બનેલી આ ઘટના બાદ હવે સેક્રામેન્ટોમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને ભારતીય કોન્સ્યુલેટે આ ઘટનાની નિંદા કરી છે. હવે ફરી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
હિન્દુ સંગઠન બીએપીએસએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ન્યૂયોર્કમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરની તોડફોડના ૧૦ દિવસથી પણ ઓછા સમય બાદ સેક્રામેન્ટોમાં અમારા મંદિરને અપવિત્ર કરવામાં આવ આવ્યું. નફરત ફેલાવતા સંદેશાઓ સાથે મંદિરમાં તોડફોડ કરવામાં આવી. અમે આનાથી ખૂબ જ દુ:ખી છીએ. હૃદયમાં નફરત કરનારાઓ સહિત દરેક માટે અમારી પ્રાર્થના.
સેક્રામેન્ટો કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતા સેનેટર અમી બેરાએ મંદિરની ઘટનાની નિંદા કરી અને લોકોને અસહિષ્ણુતા સામે આગળ આવવા હાકલ કરી. તેણે એકસ પર એક પોસ્ટ જારી કરીને કહ્યું કે સેક્રામેન્ટો કાઉન્ટીમાં ધાર્મિક કટ્ટરતા અને નફરત માટે કોઈ સ્થાન નથી દરેકે અસહિષ્ણુતા સામે એક સાથે ઊભા રહેવું જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક ધર્મના લોકો આપણા સમુદાયમાં સુરક્ષિત અને સન્માનિત અનુભવે.
દરમિયાન, હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સેનેટ ન્યાયતત્રં સમિતિને પત્ર લખ્યો છે જેમાં હિન્દુ વિરોધી નફરતના ઇતિહાસ અને ચિંતાજનક વધારો, ખાસ કરીને હિન્દુ ધર્મસ્થાનો સામે બંનેના તાજેતરના ડેટાને ટાંકીને ન્યાયની માંગ કરવામાં આવી છે, તેણે આ ઘટનાની નિંદા કરતા કહ્યું કે અમે બીએપીએસ સાથે ઉભા છીએ અને ન્યાયની માંગણી કરીએ છીએ. હિંદુ મંદિરોને ભારતીય અને હિંદુ અમેરિકન સમુદાયો સામે નફરત ફેલાવવા માટે નિશાન બનાવવામાં આવે છે તે અસ્વીકાર્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech