ભાજપના બજેટમાં 'B' એટલે વિશ્વાસઘાત, મલ્લિકાર્જુન ખડગેએ ફરી કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

  • August 01, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બજેટને લઈને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે સરકાર બજેટમાં કહેવાતી રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ લાવી છે પરંતુ તે માત્ર દેખાડો છે અને તેનાથી કોઈ યુવકને ફાયદો થશે નહીં. તેમણે કહ્યું કે બજેટમાં ઈન્ડસ્ટ્રી પર માત્ર ઈન્ટર્નશીપ લાદવામાં આવી છે અને આ યુવાનો સાથે વિશ્વાસઘાત છે. ખડગેએ કહ્યું કે આ બજેટમાં કહેવાતી રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાઓ લાવવામાં આવી છે, પરંતુ તે માત્ર દેખાડો છે અને તેનાથી કોઈ યુવાનોને ફાયદો થશે નહીં.

ઈન્ટર્નશિપ સ્કીમ ઈન્ડસ્ટ્રી પર લાદવામાં આવી


ખડગેએ કહ્યું કે કેન્દ્રીય બજેટમાં 'B' નો અર્થ છે વિશ્વાસઘાત. ખડગેએ આરોપ લગાવ્યો કે મોદી સરકારના બજેટમાં ઈન્ડસ્ટ્રી પર માત્ર ઈન્ટર્નશીપ લાદવામાં આવી છે, જેના માટે કોઈ લાંબા ગાળાનો ઉકેલ નથી.


આ સાથે ખડગેએ મોદી સરકારને તેની યોજનાઓ પર બે પ્રશ્નો પૂછ્યા


મોદી સરકાર આ યોજનાઓની વિગતો ક્યારે આપશે?  ખડગેએ જણાવ્યું હતું કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા મુજબ પ્રથમ વખત ઇન્ટર્નશીપ અને નોકરીઓ લેવા માટે પ્રેરિત થનાર યુવાનો કે ઉદ્યોગ બંનેને પાંચ રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાઓની રૂપરેખા વિશે કોઈ ખ્યાલ નથી. તેમણે પૂછ્યું કે શું કોંગ્રેસના મેનિફેસ્ટોમાંથી આ અધૂરા વિચારને અમલમાં મૂકતા પહેલા કોઈ સાથે પરામર્શ કરવામાંઆવ્યો હતો?

બીજી તરફ મોદી સરકારના બજેટમાં ઈન્ડસ્ટ્રી પર માત્ર ઈન્ટર્નશીપ લાદવામાં આવી છે. જેનો કોઈ લાંબા ગાળાનો ઉકેલ નથી. ખડગેએ પૂછ્યું કે શા માટે જાહેર કંપનીઓને આ રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજનાઓમાં સામેલ કરવામાં આવી નથી. તેમણે પૂછ્યું કે શું આ એટલા માટે છે કારણ કે ભાજપ ઈચ્છે છે કે SC, ST, OBC અને EWS યુવાનોને જાહેર ક્ષેત્રમાં અનામત દ્વારા ભરતી કરવામાં ન આવે? ખડગેએ પૂછ્યું કે આ બધી યોજનાઓ શા માટે અસ્થાયી રોજગાર અથવા ઇન્ટર્નશિપ પ્રદાન કરે છે.


યુવાનોને છેતરે છે સરકાર


ખડગેએ કહ્યું કે 'સેવ ચેર બજેટ'ના એક અઠવાડિયા પછી  શિક્ષણવિદો અને ઉદ્યોગો કહેવાતી 'રોજગાર સંબંધિત પ્રોત્સાહન' યોજનાઓ અંગે મોદી સરકારના વલણ અંગે સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.


તેમણે આરોપ લગાવ્યો “કરોડો યુવાનો તેમની નોકરીની દુર્દશાનો કાયમી ઉકેલ ઇચ્છે છે પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર કામચલાઉ ઉકેલ પણ ન આપીને તેમની સાથે દગો કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application