જામનગર જિલ્લા ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં અયોધ્યા સ્પેશ્યલ ટ્રેન રવાના

  • February 23, 2024 01:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશ મુંગરા દ્વારા પાઠવાતી શુભેચ્છા

જયારથી પ્રભુ શ્રી રામનું અયોધ્યામાં પુનરાગમન થઈ, ભવ્ય અને દિવ્ય મંદિરમાં સ્થાપના થઈ છે ત્યારથી સમગ્ર દેશમાંથી લાખો રામભક્તો ભગવાન શ્રીરામના જન્મસ્થાનમાં પધરાવેલ સ્વ‚પના દર્શન કરવા જઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી સમગ્ર દેશમાં અયોધ્યા માટે સ્પેશ્યલ આસ્થા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સમગ્ર જામનગર લોક્સભા વિસ્તારમાંથી ૧૩૪૦ રામભક્તો અયોધ્યા દર્શનાર્થે ગયેલ છે જે પૈકી જામનગર જિલ્લામાંથી પ૩પ જેટલા દર્શનાર્થીઓ સામેલ છે. જામનગરથી આસ્થા ટ્રેન મારફતે રામભક્તો જયારે અયોધ્યા જવા રવાના થયા ત્યારે જય શ્રીરામના બુલંદ નારાઓ સાથે હર્ષ્ાોલ્લાસ ભર્યા વાતાવરણ વચ્ચે જિલ્લા ભાજપના આગેવાનો અધ્યક્ષ્ા રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષ્ોક પટવા, લોક્સભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, આસ્થા ટ્રેન વ્યવસ્થા માટેના ઈન્ચાર્જ ચેતનભાઈ કડીવાર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે. કે. નંદા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ સભાયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સૌ આગેવાનોએ અયોધ્યા જનાર સંતોનું સન્માન કરી, ટ્રેનને ઝંડી બતાવી વિદાય આપેલ હોવાનું મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application