ધ્રોલમાં ચૈત્ર માસની આયંબીલ ઓળી: તપસ્વીઓનું બહુમાન

  • April 27, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધ્રોલ સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલ ના આંગણે2024 ની ચૈત્ર માસની આયંબિલ ની ઓળી અજરામર સંપ્રદાયના પૂજ્ય આચાર્ય ભાવચંદ્રજી મહારાજ સાહેબ ના આજ્ઞાનુવર્તી પૂજ્ય ધીરતાજી મહાસતીજી આદિથાણા ત્રણના સાનિધ્યમાં યોજવામાં આવેલ, આ આયંબિલની ઓળીના ભાગ્યશાળી સહયોગી દાતા રમાબેન ઉમેશ કુમાર શેઠના અનુદાનથી યોજવામાં આવેલ.


આ આયંબિલની ઓળી કુલ 25ની સંખ્યામાં તપસ્વી ઓએ કરેલ તેમજ આયંબિલની ઓળીનો રોજ 32 થી 34 તપાસીઓએ લાભ લીધેલો આયંબિલની ઓળીના પારણાનો લાભ પણ સહયોગી દાતા રમાબેન ઉમેશ કુમાર શેઠએ લીધેલ આયંબિલની ઓળીના તપસ્વીઓનું બહુમાન સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલ તરફથી કરવામાં આવેલ, તેમજ હસમુખરાય છગનલાલ બાલાણી તરફથી પણ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ તેમજ સ્થાનકવાસી જૈન સંઘ ધ્રોલ તેમજ મૂર્તિપૂજક જૈન સંઘ ધ્રોલના અન્ય શ્રેષ્ઠીઓ તરફથી પણ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવેલ.


આયંબિલની ઓળીને સફળ બનાવવા નવીનભાઈ શાહ તેમજ નયનાબેન મહેતા તેમજ ચંદ્રિકાબેન રાણપરીયા તેમજ રમેશભાઈ રાણપરીયા, રાજુભાઈ કોઠારી, વિશાલભાઈ રાણપરીયા વિગેરેએ પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application