કેનેડીના ચિત્રકારને રાજ્ય કક્ષાનો એવોર્ડ એનાયત

  • April 11, 2024 11:38 AM 

ગુજરાતનો "અતુલ્ય વારસો"


"અતુલ્ય વારસો"એ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિને ઉજાગર કરવા અને જીવંત રાખવા માટે ઈતિહાસ, પર્યાવરણ, હેરિટેજ પ્રવાસન, લેખન, સંગીત, ચિત્રકલામાં 131 જેટલા આર્ટીસ્ટોને કલાની પરખ કરીને, 7 એપ્રિલના એવોર્ડ માટે ચિત્રકલા ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેનેડી ગામના ચિત્રકાર અરવિંદ ડી.ખાણઘરને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.


આ એવોર્ડ વિતરણ પ્રસંગે સર્વશ્રી કપીલભાઈ ઠાકર, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, કલાતિર્થ અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડીયા, સામાજીક કાર્યકર મિતલબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચિત્રકલામાં પારંગત અરવિંદભાઈએ અગાઉ પણ અનેક એવોર્ડ મેળવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application