વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત 2 થી 8 ઓકટોબર દરમ્યાન વન્ય જીવોના સંરક્ષક અને સંવર્ધન અર્થે વન વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે ભાણવડ તાલુકામાં મામલતદારના અધ્યક્ષ સ્થાને પુરુષાર્થ શૈક્ષણીક સંકુલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભાણવડ પંથકમાં વન્ય જીવ બચાવ, સંરક્ષણ, અને સંવર્ધન અર્થે કામ કરતી સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટ, રણજીત કારાવદરા અને વાનાવડના સહદેવસિંહ જાડેજાને વન વિભાગ દ્વારા મામલતદાર, ટીડીઓ અને આર.એફ.ના હસ્તે "વન્ય જીવ સંરક્ષક એવોર્ડ" એનાયત કરાયો હતો.
આ તકે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને કર્મચારીઓએ એનિમલ લવર્સના સભ્યો દ્વારા થઈ રહેલી વન્યજીવ બચાવની પ્રવૃત્તિમાં વધુને વધુ લોકો જોડાય તેવી અપીલ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : વીજ ધાંધિયાથી ખેડૂતો બન્યા પરેશાન...PGVCL કચેરીએ આપ્યું આવેદન
October 10, 2024 06:16 PM25 થી 30 વર્ષની ઉંમરે વજન કેટલું હોવું જોઈએ? જાણો શું કહે છે નિષ્ણાતો
October 10, 2024 06:02 PMરતન ટાટાનો કૂતરો તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યો
October 10, 2024 05:54 PMનવરાત્રિના 9 દિવસ પછી ઉપવાસનાં પારણા કરતી વખતે ન કરો આ ભૂલ
October 10, 2024 05:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech