તા. 27 નવેમ્બરથી તા. 2 ડિસેમ્બર સુધી શ્રી મધ્નમોહન પ્રભુના વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન: વધાઇ કીર્તન, રાજસ્થાની સંગીત, શાસ્ત્રીય કઠન સંગીત, ગઝલ, હાસ્ય દરબાર, નિશ્ર્ચય તાંબુલ, બડી પઠોની (વિદાઇ) સહિતના કાર્યક્રમનું આયોજન
જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્યજી જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીના નિધ તેમજ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુજી અસીમ અનુકંપા તેમજ મહાકારુણિક શ્રી મહપ્રભુજી એવમ શ્રી ગુંસાઈજી પરમ દયાલના અનુગ્રહથી પૂ. 1008 વ્રજભૂષણલાલજી મહારાજના પ્રયોગ, પુષ્ટિ સિધ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ પૂ. 108 હિરરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મ જ ચિ. ગો. રસાદ્રરાયજીના શુભવિવાહ શ્રી શ્યામલતા બેટીજી શ્રી દિનેશજી રહે (રાજકોટ)ના સુપૌત્રી તથા અ.સૌ. ની બીમા બેટીજી શ્રી ભૂપેશજીના સુપુત્રી ચિ. મલ્લિવકાજી સાથે તા. 4-12-24 ના રાત્રે 11 વાગ્યે મેહુલનગર ટેલીફોન એકસચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, મ્યુનિ. કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં યોજાયા છે. નવદંપિતનો સત્કાર સમારંભ તા. 6-12-24 ના રાત્રે 8 થી 10 વાગ્યે યોજાશે.
રસાદ્રરાયજીના શુભવિવાહ નિમિતે શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 27-11-24 ના રાત્રે 9 વાગ્યે મોટી હવેલીમાં વધાઈ કિર્તન, તા. 28-11-24 ના હોટલ કલાતીતમાં રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ તા. 9-11-24 ના રાત્રે 9.30 વાગ્યે સયાજી હોટલમાં શાસ્ત્રીય કંઠય સંગીતનો કાર્યક્રમ, તા. 30-11-24 ના રાત્રે 9-30- વાગ્યે હોટલ કલાતીતમાં ગઝલનો કાર્યક્રમ, તા. 1-12-24 ના રાત્રે 9.30 વાગ્યે શુભવિવાહના સ્થળે મ્યુનિ. કોર્પો. ગ્રાઉન્ડમાં હાસ્ય દરબારનો કાર્યક્રમ તથા તા. 2-10-24 ના રાત્રે 9-30 વાગ્યે હાલારી રાસ યોજાશે.
શુભવિવાહ પ્રસ્તાવના પ્રસંગોમાં તા. 3-12-24 ના નિધ્ય તાંબુલ (વાડી સગાઈ) રાત્રે 8 વાગ્યે, તા. 4-12-24 ના મંગલ શુભવિવાહનો પ્રસંગ, તા. 5-12-24 ના બપોરે 12 વાગ્યે વાડી પઠોની (વિદાઈ) તથા તા. 6-12-24 ના રાત્રે 8 વાગ્યે નવદંપતિનો સત્કાર સમારંભ યોજાશે. તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર .. પરથી કરવામાં આવશે.
વૈષ્ણવોના ઉતારા માટે સમિતિના મો. નં. 98242 987262 તથા 94283 15758 ઉપર સંપર્ક કરવો. જામનગરથી પધારેલા વૈષ્ણવો માટે ઉતારા તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આમંત્રીત મહેમાનો માટે તા. 4.12.24 ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે. આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech