જામનગરમાં ડીવાઇન મલ્ટીસ્પેશ્યાલીટી અદ્યતન હોસ્પિટલના ઉદઘાટનમાં મહાનુભાવોની ઉપસ્થિતિ

  • February 28, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નહીં નફો કે નહીં નુકશાનના આશય સાથે જામનગરના આંગણે ડીવાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો સંતો-મહંતોના આશીર્વાદ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રવિવારના રોજ પ્રારંભ થયો હતો, જેમાં આણદાબાવા આશ્રમના મહંત દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણીજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો તેમજ અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જામનગર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યા, રાજ્યના પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કેબીનેટ મંત્રી આઇ.કે. જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પૂર્વ મંત્રી એમ.કે. બ્લોચ, જામનગરના જાણીતા તબીબ ડો. એ.ડી. રુપારેલીયા, ડો. વી.એમ. શાહ તેમજ નિયામક રાજપૂત આઇએસ એકેડેમી નિવૃત નાયબ સચિવ અશોકસિંહ પરમાર, અધિક કલેકટર હનુમંતસિંહ જાડેજા, ડિવાઇન હોસ્પિટલના એમ.ડી. ઘનશ્યામસિંહ સોઢા, ડાયરેકટર ડો. રાજવીરસિંહ સોઢા, ડો. મનોજ જોષી, ડો. દેવાંશીબા જાડેજા (સોઢા), હંસાબા સોઢા, વિપુલબા સોઢા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application