જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જુની અદાવતના કારણે હુમલો

  • April 19, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાર સળગાવી નાખ્યાની શંકાના આધારે ચાર શખ્સોએ હાથ-પગ ભાંગી નાખ્યાની પોલીસ ફરિયાદ


જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા યુવાન પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. આરોપીઓના પરિવારની કારને આગ ચાંપી દેવાઇ હતી, જેની શંકા ના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક નિલકમલ સોસાયટી શેરી નાં-૨ માં રહેતા અને ખેતી કામ કરતા સુરેન્દ્રસિંહ ઉર્ફે શક્તિસિંહ નવલસિંહ જેઠવા નામના ૨૪ વર્ષના યુવાન પર ખોડીયાર કોલોની ગોળ બંગલા પાસે ગઈકાલે સાંજે જયદીપ ઝાલા, હદુ ઝાલા, વિકી કાપડી અને તેઓના ચોથા સાગરીત વગેરેએ મળીને સુરેન્દ્રસિંહ ઉપર લોખંડ ના પાઇપ, લાકડાના ધોકા સહિતના હથીયાર વડે હુમલો કરી દઇ બંને હાથ પગમાં ફેક્ચર કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેના પર શસ્ત્રક્રિયા  કરવામાં આવી રહી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર થોડા દિવસો પહેલાં આરોપી જયદીપ ઝાલા ના કુટુંબીભાઈ નિરુભા ઝાલાની કારને કોઈએ સળગાવી નાખી હતી, જે કાર ફરિયાદી યુવાને સળગાવી હોવાની શંકાના આધારે આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. સીટી સી. ડિવિઝન ના પી.એસ.આઇ.એચ. પીપળીયા વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application