અંતે આ દિવસથી અટલ સરોવર ખુલ્લું મુકાશે

  • April 29, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એરિયામાં અંદાજે રૂ.136 કરોડથી વધુ રકમના ખર્ચે નિર્મિત અટલ સરોવર તા.1 મે ને બુધવારના રોજથી સામાન્ય શહેરીજનો માટે ખુલું મુકાશે. જો કે હજુ ત્યાં આગળ એમ્યુઝમેન્ટ પાર્કનું કંઇ ઠેકાણું ન હોય અગાઉ મોટા ઉપાડે જેની વાતો કરાય હતી તે બોટિંગ, ચકડોળ કે ટોય ટ્રેન શરૂ કરાશે નહીં તેમ જાણવા મળે છે. એન્ટ્રી ફી પ્રતિ નાગરિક દીઠ રૂ.25 રહેશે અને બાળકોની એન્ટ્રી ફી રૂ.10 રહેશે. પ્રથમ દિવસથી જ ફી વસુલી શરૂ કરી દેવાશે.
વધુમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત મેરિટાઇમ બોર્ડની નવી ગાઇડલાઇન મુજબ બોટિંગ માટે વિશેષ મંજૂરીઓ લેવી પડે તેમ છે હજુ બોટિંગ સેવા શરૂ થતા વાર લાગશે. તદઉપરાંત ચકડોળ આવી ગયા છે અને ફિટિંગ થઇ ગયું છે પરંતુ તેમાં પણ જરૂરી મંજૂરીઓ લેવાની બાકી હોય ચકડોળ પણ શરૂ થશે નહીં. જ્યારે ટોય ટ્રેનમાં તો હજુ ટ્રેક નાખવાનો બાકી છે તેમજ ટેન્ડરની શરત મુજબ ઇલેક્ટ્રિક એન્જીન સાથેની ટ્રેન દોડાવવાની છે પરંતુ એજન્સીએ ડીઝલ એન્જીન દોડાવવા તૈયારી શરૂ કરતાં આ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે અને ટ્રેકનું ફિટિંગ પણ હજુ બાકી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application