ભારતની સાઇકલ યાત્રા: ૦૬ મહિનાનામાં ચાર ધામની યાત્રા પર પૂર્ણ કરી: હજુ ૧ વર્ષમાં યાત્રામાં ૧૨ જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરશે
દિલ્હીના રહેવાસી માત્ર ૧૪ વર્ષ ની ઉંમરે સનાતન ધર્મ ના સંકલ્પ લઇ ભારત ને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવા પ્રણ લઇ નીકળ્યો સાયકલ પર ભારત દેશ ની યાત્રા માં જેમાં ચાર ધામ અને ૧૨ જ્યોતિર્લિંગની સાઇકલ યાત્રા કરશે.
છેલ્લા 06 મહિના થી દિલ્હી થી નીકળશે યશપાલ એ કેદારનાથ, બદરીનાથ , વૈદ્યનાથ મહાદેવ ગંગોત્રી, યમુના, હરિદ્વાર, સહિત ગુજરાત ના સોમનાથ અને દ્વારકાના નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ ની યાત્રા પૂર્ણ કરી નાસિક સ્થિત ત્રંબકેશવર જ્યોર્તિલિંગ યાત્રા એ જવા નીકળ્યો હતો રસ્તામાં સૌરાષ્ટ્ર નું પેરિશ છોટાકાશી ના નામે વિખ્યાત જામનગર ખાતે શનિવાર સાંજે આવી પહોંચ્યો હતો જેમાં તેમણે જામનગર ના સ્થાનિકો સાથે મળી અને 1 દિવસીય વાસો કરી રવિવારે સાંજે નાસિક યાત્રા માં જવા નીકળ્યો હતો.
માત્ર 14 વર્ષ ની ઉમર કટ્ટર હિંદુવાદી પૂરા જોશ સાથે આ કિશોર સાથે સાયકલ માં ભગવા શાલ અને યાત્રા દરમિયાન રક્ષા માટે તલવાર સાથે રાખી વાસો કરવાં માટે નું સામગ્રી ને ટેન્ટ જેવા સાધનો લઇ સમગ્ર ભારતભર માં યાત્રા એ નીકળ્યો છે છેલ્લા ૦૬ માસ થી વધુ ના સમય થી યાત્રા એ નીકળેલ યશપાલ હજુ 1 વર્ષ માં યાત્રા પૂર્ણ કરશે અને લોકો ને સનાતન ધર્મ પ્રત્યે અને દેશ પ્રત્યે કાઈ કરી બતાવવાની ઝંખના સાથે જંપશે જેવો જુસ્સો રાખી કિશોર યાત્રા એ નીકળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળોએ કમોસમી વરસાદી ઝાપટા
May 09, 2025 11:24 AMદ્વારકાના દરીયા કિનારે સેના સ્ટેન્ડ ટુ: જગતમંદિરે લોખંડી સુરક્ષા
May 09, 2025 11:20 AMબલુચિસ્તાનની સ્વતંત્રતાના દાવા, દિલ્હીમાં દૂતાવાસ ખોલવાની માગ
May 09, 2025 11:18 AMજામજોધપુર નગરપાલીકાને વધારાનું એક એમએલડી પીવાના પાણીનો જથ્થો મળ્યો
May 09, 2025 11:12 AMકોલેજો મન ફાવે તેમ ફી નહીં લઈ શકે: યુનિવર્સિટીએ ધોકો પછાડ્યો
May 09, 2025 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech