કોડીનાર ખાતે ૩૬ બાળકોને ગીર સોમનાથ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ભોજન પીરસાયું

  • February 10, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર ખાતે આવેલ સંસ્થામાં રહેલા દિવ્ય બાળકોને ગીર સોમનાથ જિલ્લ ા ટ્રાફીક શાખા દ્વારા તમામ બાળકોને બપોરનું ભોજન આપવામા આવ્યું હતું. અને સંસ્થાની મુલાકાત લીધેલ આ દિવ્ય બાળકોને પોલીસે જાતે ભોજન પીરસતા તમામના ચહેરા પર ખુશીની લહેર પ્રસરી હતી.

ગીર સોમનાથ જિલ્લા  ટ્રાફીક શાખા દ્રારા કોડીનાર ખાતે આવેલ જીવનદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રષ્ટ કોડીનાર સંસ્થામા ૩૬ દિવ્ય બાળકોને બપોરનું ભોજન કરાવી સંસ્થાની મુલાકાત કરવામા આવેલ હતી. જેમાં દિવ્ય બાળકોને ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા જાતે ભોજન પીરસી સેવાકીય કામમાં સહભાગી બન્યા હતા. આ દિવ્ય બાળકોને ભોજન કરાવામાં આવતા તમામના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ટ્રાફીક પોલીસ સ્ટાફ દ્વારા દિવ્ય બાળકોને ભોજન સેવાની કામગીરીમાં જીલ્લા  ટ્રાફીક પોલીસના એ એસ આઈ ધીરેન્દ્રસિંહ જસાભાઈ સિંધવ, લખમણભાઈ ભીખાભાઈ વાળા, ભરતભાઈ કરશનભાઇ વાજા, સરમણભાઈ નાથભાઈ નંદાણીયા, વરજાગભાઈ ઉકાભાઇ ધામા, મુકેશભાઈ શાંતિલાલ સિદ્ધપુરા, સંજયભાઈ કેશુભાઈ રાઠોડ, અવીરાજસિંહ ગંભીરસિંહ વાજા રાઠોડ, તેમજ દિપકભાઈ બાલુભાઈ ચૌહાણ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આથી દીવ્ય બાળકોને ભોજન કરાવી સૌ કોઈએ આ સેવાકિય કામગીરીને બિરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application