બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરવા અપાઇ ખાતરી

  • October 07, 2024 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના વોર્ડ નંબર ૬ અને ૭માં અનેક બિસ્માર રસ્તાઓના નવીનીકરણ  માટે સુધરાઇ સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે  અને ચીફ ઓફિસરે તેમને ખાત્રી આપી છે.
પોરબંદરના વોર્ડ નં-૬ ના કાઉન્સીલર ફા‚ક સુર્યાએ ચીફ ઓફિસરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારના મુખ્યમાર્ગ એવા એમ.જી. રોડ પર બંન્ને સાઈડની ફુટપાથ પર પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યુ છે,પરંતુ આ રોડને ડ્રીમ્લેન્ડ સિનેમાથી લઈને રાણીબાગ સુધી તેમજ તેની સામેના ભાગે સુદામાચોકના ખુણા સુધી એમ બંન્ને સાઈડના રોડ પરની ફુટપાથ પર પેવર બ્લોક લગાવવામાં આવ્યા નથી.જેમાં સુદામાચોક સામેની સીધી લાઈન તેમજ કોર્ટ કમ્પાઉન્ડની સામે પ્લાઝા સિનેમાની સાઈડની ફુટપાથનો સમાવેશ થાય છે.આ મુખ્ય માર્ગના આ બંને સાઈડની ફુટપાથનું કામ કરવામાં આવેલ ન હોય વહેલીતકે આ રોડના આ બંન્ને સાઈડના ફુટપાથના કામ પુરા થાય તેવી સુચના આપવા વિનંતી છે.
પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૬ના વિસ્તારમાં છેલ્લા ૨૫ કરતા વધુ વર્ષોથી નીચે મુજબના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તે તાત્કાલીક આયોજનમાં લઈને કામગીરી શ‚ કરાવી આ રસ્તાઓ બનાવવામાં આવે તેવી  સુધરાઇ સભ્ય દ્વારા માંગ થઇ હતી.વિરડી પ્લોટમાં આવેલ નગપાલિકાના ડેલાની બાજુમાં આંગણવાડી વાળો રોડ,વિરડી પ્લોટમાં રઝા પાનની બાજુનો રોડ, મેમણવાડ રહેમાની મસ્જિદની પહેલાનો યુસુફ પટેલના ઘરથી અઝહરી કોલોની સુધીનો રોડ ઉપરાંત આ વિસ્તારમાં જે રસ્તાઓ બન્યા છે તેની બંન્ને બાજુની ફુટપાથ બનાવવામાં આવી નથી અને તે ખુલ્લી ફુટપાથો ધુળીયા વિસ્તાર જેવી બની છે તો આ વિસ્તારના રોડની બંન્ને સાઈડ ફુટપાથ પર પેવર બ્લોકના કામ વહેલીતકે કરાવવામાં આવે તેવી  દરખાસ્ત સાથે અપીલ છે. પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. ૬ અને ૭ ના મુખ્ય રસ્તાઓ ખુબ જ બિસ્માર બન્યા છે, આ તમામ રસ્તાઓને તાત્કાલીક રીસરફેસીંગની કામગીરી કરવામાં આવે તેવી  અપીલ છે.ફીશ માર્કેટ પાસે લાકડાના પાલાવાળો મુખ્ય રોડ- આ રસ્તામાં ખાડા પડી ગયા છે.શીતલાચોક ડો. ગોહેલના દવાખાનાથી રહેમાની મસ્જીદ થી ગાત્રાળ મંદીર સુધીનો મુખ્ય રસ્તો,મેમણવાડ નગીના મસ્જીદની બાજુનો મેમણ જમાતખાના તરફ જતો રસ્તો, મેમણવાડ ક્ધયા શાળાવાળો ચુનાભઠ્ઠા સુધીનો મુખ્ય રસ્તો,શીતલા ચોકથી હનુમાન ગુફા પોલીસ ચોકી સુધીનો મેઈન એસ.વી.પી. રોડ,ઠકકર પ્લોટનો શારદામંદીર સ્કુલવાળો રોડ,સુતારવાડાની સામેનો વાલ્મીકી સમાજની આંગણવાડી સુધી જતો રસ્તો,મેમણવાડમાં યુસુફ પટેલના ઘર થી અઝહરી કોલોની સુધીનો રસ્તોઉપરોકત તમામ રસ્તાઓ ખુબ જ ખરાબ સ્થિતિમાં છે તો તે તમામ રસ્તાઓને વહેલીતકે રીસરફરીંગની કામગીરી કરી ને મુળ સ્થિતિમાં લઈ આવી મજબુતાઈથી કામ થાય અને આ રસ્તાઓ ફરીથી ખરાબ ન થાય તે રીતે કામગીરી કરાવવા રજુઆત કરવામાં આવી છે.
પોરબંદર નગરપાલિકાના વોર્ડ ૬ અને ૭ ના ખરાબ રસ્તાઓને રીસર્ફરીંગ કરવા અને વર્ષોથી નહી બનેલા રસ્તાઓ વહેલીતકે બનાવવાની રજુઆત મ્યુ. કાઉન્સિલર ફા‚કભાઈ સુર્યાએ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને કરતા વહેલીતકે આ કામ ચાલુ કરાવી આપવા ખાત્રી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application